SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ || જીવને લગતી કેટલીક બાબતે ૩૭૧ શાલિક્ષેત્રાદિનું કરણ, અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાયનું કરવું તે ક્ષેત્રકરણ. કાલરૂપ કરણ અથવા કાળનું, કાળ વડે અથવા કાળમાં કરવું તે કાળકરણ. ૪. નારકાદિ ભવરૂપ કરણું તે ભવકરણ. ૫. એ પ્રમાણે ભાવકરણ સંબધે પણ જાણવું. ' વળી પાંચ પ્રકારનાં શરીર પ્રમાણે પાંચ પ્રકારનું શરીરકરણ છે; પાંચ પ્રકારની છોિ પ્રમાણે પાંચ પ્રકારનું ઈદ્રિયકરણ છે; તે પ્રમાણે ચાર પ્રકારે ભાષાકરણ, ચાર પ્રકારે મનકરણ, ચાર પ્રકારે કષાયકરણ, સાત પ્રકારે સમુદ્દઘાત કરણ, ચાર પ્રકારે સંજ્ઞાકરણ, છ પ્રકારે લેસ્યાકરણ, અને ત્રણ પ્રકારે દૃષ્ટિકરણ કહેવું. વેદકરણ પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ પ્રકારે મુજબ ત્રણ પ્રકારનું છે. ' એકેબિયથી માંડીને પચેંદ્રિય સુધી પાંચ પ્રકારના જી મુજબ પ્રાણાતિપાતકરણ પણ પાંચ પ્રકારનું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકૃતિ) –એ પાંચ પ્રમાણે પુગલકરણ પણ પાંચ પ્રકારનું છે.' – શતક ૧૯, ઉદ્દે ૯ ૧. જુઓ આગળ ભાષા તથા મનના ચાર પ્રકાર, પા. ૩૬૪. ૨. જુઓ સાત પ્રકારના સમુદ્યાત માટે પા. ૯૨, ટિ૦ ૩. ૩. સમકિતદષ્ટિ, મિથ્યાત્વષ્ટિ અને મિશ્રદષ્ટિ – એ ત્રણ દષ્ટિએ – સમજણ – શ્રદ્ધાઓ છે. ૪. કરણ પ્રમાણે જ નિવૃતિ (નિષ્પત્તિ – તે પ્રમાણે થવું તે) પણ જાણવી. જેમકે ઇવનું એકેઢિયાદિ છવરૂપે થવું તે એકેદ્રિય જીવનિતિ; એ પ્રમાણે કનિતિ, શરીરનિવૃતિ, ભાષાનિવૃતિ, ઇદ્રિયનિવૃતિ, મનોનિવૃતિ, કષાયનિવૃતિ વગેરે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy