SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર અનંતગણું ગણ્યા છે. તેથી તેઓ અવેદક કરતાં અનંતગણું છે - – શતક ૬, ઉદેવ ૩. કરણ ગૌ –હે ભગવન! કરણ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? . મહ–હે ગૌતમ ! કરણે ચાર પ્રકારનાં કહ્યાં છે : મનકરણ, વચનકરણ, કાયકરણ, અને કર્મકરણ. (કર્મકરણ એટલે કર્મને બંધનાદિમાં નિમિત્તભૂત જીવનું વીર્ય.) - નરયિકાદિ છે શુભાશુભ કરણથી વિવિધ સુખદુઃખાદિ અનુભવે છે. – શતક ૬, ઉ૦ ૧ ગૌ હે ભગવન! કરણ કેટલા પ્રકારે કહ્યું છે? –હે ગૌતમ! કરણ પાંચ પ્રકારે કહ્યું છે : દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ. વિવરણ: જે વડે કરાય તે કરણ, ક્રિયાનું સાધન; અથવા કરવું તે કરણ. તેના પાંચ પ્રકાર છેઃ ૧. દ્રવ્યરૂપ દાતરડા વડે કરણ તે દ્રવ્યકરણ ; અથવા શલાકાદિ દ્રવ્ય વડે કટાદિ દ્રવ્યનું કરવું તે કવ્યકરણ. ૨. ક્ષેત્રરૂપ કરણ, અથવા ૧. પ્રસંગવશાત્ જણાવી લેવું ઠીક થશે કે અભવ્ય – અચરમકદી મુક્ત ન થનારા જીવો કરતાં ભવ્ય – ચરમ - મુક્ત થનારા જીવે અનંતગણું છે. કારણ કે અભવ્ય કરતાં સિદ્ધો અનતગણા કહ્યા છે, અને જેટલા સિદ્દો છે, તેટલા જ ચરમ જીવે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy