________________
૩૫
શ્રીભગવતીસાર હોય છે, ત્યારે તેજસ, કાર્મણ અને ઔદારિક, અથવા તો તૈજસ, કામણ અને વૈક્રિય હોય છે. પહેલા પ્રકારો મનુષ્ય અને તિર્યમાં અને બીજો પ્રકાર દેવ અને નારમાં જન્મકાળથી લઈ મરણ પર્યત હોય છે. જ્યારે ચાર હોય છે ત્યારે તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય, અથવા તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યમાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગ સમયે ચૌદ પૂર્વ જાણનારા મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કદી પણ હોતાં નથી; કારણકે વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિનો પ્રયોગ એકી સાથે સંભવત નથી. કારણકે વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત દશા હોય છે; પરંતુ આહારકના વિષયમાં તેમ નથી; કેમકે આહારકલબ્ધિને પ્રયોગ જેકે પ્રમત્ત દશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત ભાવ પેદા થાય છે. જોકે શકિત રૂપે તો પાંચે શરીર એક સાથે હોઈ શકે છે, પણ આવિર્ભાવની અપેક્ષાએ પાંચ એક સાથે નથી હોતાં.૧
– શતક ૧૬, ૧૭, ૧૦, ઉદ્દે ૧૪
૧. શતક ૮, ઉદ્દે. ૧ માં આવેલી કેટલીક વિગતે આ પ્રમાણે છે:
(૧) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેંદ્રિયને ઔદારિક, તેજસ અને કાર્માણ શરીર હોય; પર્યાસને પણ તે જ હોય. એ પ્રમાણે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org