________________
જીવો અને શરીર
૩૫૫ શાપ અને અનુગ્રહ છે. જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ શક્તિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પિતાના કપ પાત્રને બાળી પણ શકે છે અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા અનુગ્રહના પાત્રને શાંતિ પણ આપી શકે છે. અને ૫. જીવે બાંધે કર્મસમૂહ એ જ કામણ શરીર છે. આ કાર્મણ શરીર જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય ત્યાં સુધી જીવનો કાંઈ ઉપભોગ સાધી શકતું નથી. આથી પ્રથમનાં ચારની પેઠે તે સોપભોગ ન કહેવાતાં નિરુપભોગ કહેવાય છે. અલબત્ત તે અન્ય શરીરનું મૂળ હોઈ પરંપરાથી તો જીવન ઉપભોગનું સાધન છે જ, અને તેથી તને શરીર ગણ્યું છે.
- આ પાંચમાંથી તૈજસ અને કાર્મણ શરીરને સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે અનાદિ છે; તે શરીરે બધા સંસારીઓને હોય છે. જ્યારે, ઔદારિક આદિ ત્રણ તે આત્મા સાથે અસ્થાયી સંબંધવાળાં છે.]
એક સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછાં બે અને અધિકમાં આધક ચાર શરીર હોઈ શકે, પાંચ કયારે પણ હોઈ શકે નહિ. જ્યારે બે હોય ત્યારે તૈજસ અને કામણ હોય. કેમકે એ બંને, જીવને સંસાર હોય ત્યાં સુધી રહેનારાં છે. એ સ્થિતિ અંતરાલગતિમાં જ હોય છે. કેમકે એ સમયે અન્ય કોઈ શરીર હેતું નથી. જ્યારે ત્રણ
૧. જુઓ આગળ શાલકના ચરિતમાં તેને બંને રીતને ઉપયોગ, પા. ૨૮૩–૪.
૨. એક શરીર છોડી, બીજા શરીરને સ્થાને જવા સુધીની.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org