________________
૩૫૪
શ્રીભગવતીસાર ૪: જીવો અને શરીર
પાંચ શરીર ગૌ –હે ભગવન્! શરીરે કેટલાં કહ્યાં છે?
મ–હે ગૌતમ! શરીરે પાંચ કહ્યાં છે ? ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કાર્મણ.
[ વિવરણ: જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદન ભેદન થઈ શકે તે (પૂલ શરીર) દારિક કહેવાય છે. ૨. જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મેટું, ક્યારેક પાતળું, કયારેક જાડુ, કયારેક એક, ક્યારેક અનેક ઇત્યાદિ વિવિધ રૂપોને ધારણ કરી શકે, તે વૈક્રિય. ૩. જે શરીર ફક્ત ચૌદ “પૂર્વ” ગ્રંથે જાણનારા મુનિથી જ રચી શકાય છે, તે આહારક.
જ્યારે તે મુનિને કાઈ ગહન વિષયમાં સંદેહ થાય, અને કઈ સર્વજ્ઞ નજીકમાં ન હોય, ત્યારે અન્ય ક્ષેત્રમાં જવા માટે તે હાથ જેવડું નાનું આહારક શરીર રચે છે. તે શુભ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, નિર્દોષ હોય છે અને અત્યંત સૂક્ષ્મ હોવાથી કયાંય રેકાતું નથી. સંદેહ દૂર થતાં અંતર્મુહૂર્તમાં તે શરીર વીખરાઈ જાય છે. ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થાય છે, તે તેજસ. તેનું અન્ય કાર્ય
૧. દેવ અને નારકોને તે શક્તિ જન્મથી હોય છે; જ્યારે ગર્ભજ મનુષ્ય અને તિયામાંથી જેને તપજન્ય તે પ્રકારની શક્તિ પેદા થઈ હોય છે, તેને જ તે હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org