SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનાં જ્ઞાન ' ઉ–હે ગૌતમ! તે પુરુષદવાળો હોય, અથવા કૃત્રિમ નપુંસક હોય. પ્રહ–હે ભગવન્! તેને કેટલા કપાયે હોય? ઉ–હે ગૌતમ! તેને સંજવલન પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. તેના અધ્યવસાયો પણ પ્રશસ્ત જ હોય. – શતક ૯, ઉદ્દે ૩૧ પ્રમાણ જેનાથી અર્થ – પદાર્થ – જાણી શકાય તે પ્રમાણુ. અથવા ‘જાણવું' તે પ્રમાણ. ગૌ –હે ભગવન ! પ્રમાણ તે શું? ઉ–હે ગૌતમ ! પ્રમાણુ ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ. પ્રત્યક્ષના બે પ્રકાર છે : ઈડિયપ્રત્યક્ષ અને નોકિયપ્રત્યક્ષ. ઈદ્રિયપ્રત્યક્ષ એટલે પાંચ ઇથિી થતું જ્ઞાન. નોઈદ્રિયપ્રત્યક્ષ એટલે ઈક્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની લેગ્યતાના બળથી ઉત્પન્ન થતું જ્ઞાન. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન એ નોઈદિયપ્રત્યક્ષ જ્ઞાને છે. અનુમાન ત્રણ પ્રકારનું છે. પૂર્વવત, શેષવત અને દષ્ટસાધમ્યવત્ . [ જેમ નાસી જઈને ફરી આવેલા પુત્રને માતા કઈ (ત્રણ વગેરેના) પૂર્વ નિશાનથી ઓળખી કાઢે. ૧. જુઓ આગળ પા. ૨૯, ટિ. ન. પ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy