SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર કેવલજ્ઞાની અનંતગણું છે. અજ્ઞાનીઓમાં સૌથી છેડા વિર્ભાગજ્ઞાની છે, તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનંતગણું છે અને પરસ્પર સરખા છે. - જ્ઞાની અને અજ્ઞાનીમાં સૌથી છેડા મન:પર્યવજ્ઞાની છે; તેથી અસંખ્યાતગણ અવધિજ્ઞાની છે, તેથી મતિ અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી વિલંગજ્ઞાની અસંખ્યાતગણું છે. તેથી કેવલજ્ઞાની અનંતગણું છે; તેથી મતિઅજ્ઞાની અને શ્રતઅજ્ઞાની અનંતગણ છે અને પરસ્પર તુલ્ય છે. હવે તે જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ અલ્પ––અહત્વ વિચારીએ. સૌથી છેડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, કેમકે તેને વિષય માત્ર મન છે. તેથી અવધિજ્ઞાનના પર્યા અનંતગણું છે, કેમકે મન:પર્યાવજ્ઞાનની અપેક્ષાએ તેનો વિષય દ્રવ્ય અને પર્યાયોથી અનંતગણો છે. તેથી શ્રુતજ્ઞાનના પર્યાયે અનંતગણુ છે, કેમકે તેને વિષય રૂપી-અરૂપી દ્રવ્યો હોવાથી તેનાથી અનંતગણે છે. તેથી મતિજ્ઞાનના પર્યાય અનંતગણું ૧. પંચેંદ્રિયાને જ વિર્ભાગજ્ઞાન સંભવે છે માટે તે સૌથી થોડા છે. ૨. કારણ કે સમદષ્ટિ દેવ અને નારક કરતાં મિથ્યાદષ્ટિ -અસંખ્યાતગણું છે. ૩. કારણ કે સાધારણ વનસ્પતિજીવો મતિઅજ્ઞાની અને શ્રતઅજ્ઞાની હોય છે, અને તેઓ સિદ્ધ થકી અનંતગણ છે. ૪. પર્યાય એટલે ભિન્ન ભિન્ન અવસ્થાઓ. અથવા તે તે જ્ઞાનના ય પથાર્થોના ભેદથી થતા ભેદે. અથવા કેવલજ્ઞાન વડે તે તે જ્ઞાનના કરાતા અશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy