SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રીભગવતીસાર ભવમાં સાથે જાય તેવું ) છે ? કે તદુભયભવિક (ચાલતા ભવમાં ભણુયેલું પરભવમાં તથા પરતર ભવમાં જાય તેવું) છે ? મહ–હે ગૌતમ! જ્ઞાન હભવિક પણ છે, પારભાવિક પણ છે અને તદુભયભવિક પણ છે. દર્શન પણ એ જ પ્રમાણે જાણવું. ગૌ૦–હે ભગવન ! ચારિત્ર એહભાવિક છે, પારભાવક, છે કે તદુભયભવિક છે ? મ - હે ગૌતમ ! ચારિત્ર ઐહભાવિક છે, પણ પારભવિક કે તદુભયભવિક નથી. એ પ્રમાણે તપ અને સંયમ પણ જાણવાં. [ જીવ આ ભવમાં ચારિત્રવાળો થઈને એ જ ચારિત્ર, વડે બીજા ભવમાં ચારિત્રવાળે થતું નથી. કારણ કે, ગ્રહણ કરેલું ચારિત્ર જીવતાં સુધી જ હોય છે. વળી અહીં અલ્પાંશે ચારિત્ર પાળવાથી દેવલોકમાં ઉત્પત્તિ થાય, ત્યારે ત્યાં વિરતિને તદ્દન અસંભવ હોવાથી ચારિત્રને પણ અભાવ છે; તેમ જ સંપૂર્ણ ચારિત્ર પાળવાથી મોક્ષગતિ જ થઈ હોય, ત્યારે તે ગતિમાં ચારિત્રને અસંભવ છે, કારણ કે ચારિત્રને અંગીકાર કર્મના ક્ષય સારુ છે; મોક્ષમાં ચારિત્રનું કાંઈ પ્રયોજન નથી–ટીકા – શતક ૧, ઉદે૧ ગૌ–હે ભગવન ! જ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે ? મોહે ગૌતમ! જ્ઞાન પાંચ પ્રકારે કહ્યું છે : આમિનિબેધિક જ્ઞાન (અર્થાત ઈદ્રિય –મનથી થતું યથાર્થ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy