________________
શાક દેવઆયુષની પ્રાપ્તિ થઈ, તથા “રેવતીએ જન્મ અને જીવિતવ્યનું ફળ પ્રાપ્ત કર્યું છે એવી આકાશવાણી થઈ.
પછી મહાવીર ભગવાને તે ભિક્ષાને આસક્તિરહિતપણે, તથા સાપ દરમાં પેસે તેમ (મમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) શરીરરૂપી કૌઠામાં નાખી. પછી તેમને તે પીડાકારી રોગ તરત શાંત થયો. આથી દેવ–મનુષ્ય વગેરે સહિત સમગ્ર વિશ્વ અત્યંત સંતુષ્ટ થયું.
ગૌ૦–હે ભગવન ! આપને સર્વાનુભૂતિ, અનગાર, જેમને ગે શાલકે બાળી નાખ્યા, તે મરીને કયાં ગયા છે?
મહ–હે ગૌતમ ! તે ઊ લોકમાં ચંદ્ર અને સૂર્યને તથા બ્રહ્મ, લાંતક અને મહાશુક્ર સ્વર્ગોને ઓળંગી સહસ્ત્રાર કલ્પમાં અઢાર સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા છે. ત્યાંથી વીને મહાવિદેહક્ષેત્રમાં તે સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થશે.
ગૌ–હે ભગવન ! તે પ્રમાણે ગોશાલકે બાળેલા સુનક્ષત્ર અનગાર ક્યાં ગયા છે ?
મ0–હે ગૌતમ ! તે આણત, પ્રાણત અને આરણ કલ્પને ઓળંગી, અશ્રુત દેવલોકમાં ર૦ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા છે. [બાકી બધું સર્વાનુભૂતિ પ્રમાણે.]
ગૌ– હે ભગવન ! આપનો કુશિષ્ય ગોશાલક ક્યાં ગયો છે.
મહ–હે ગૌતમ ! તે પણ અશ્રુતકલ્પમાં ૨૨ સાગરેપમ આયુષ્યવાળે દેવ થયો છે. ત્યાંથી ચ્યવીને તે વિંધ્યાચલની તળેટીમાં પુંડ્ર નામે દેશ વિષે શતદ્વાર નામે નગરમાં સામૂર્તિ નામે રાજાની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે વખતે તે નગરમાં. અને બહાર ભારપ્રમાણુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org