SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સન્સ અને મહિમા આચરતા હતા, તથા વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિહરતા હતા. તે અરસામાં, મહાવીરની પહેલાંના જૈન તીર્થકર પાર્શ્વનાથના શિષ્ય ૫૦૦ સાધુભગવંતે, વિચરતા વિચરતા તુંગિકામાં આવી પહોચ; અને ગ્ય સ્થળ શોધીને ઉતર્યા. તેઓ જાતિ, કુલ, બલ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, અને ચારિત્રયુક્ત હતા, લજજાળુ, નમ્ર, ઓજસ્વી, તેજસ્વી, પ્રતાપી અને કીર્તિમાન હતા; ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, ઈક્રિયે, સંકટો તથા વિદ્યોને જીતનારા હતા; જીવવાની દરકાર વિનાના હતા, મરણની બીક વિનાના હતા; તથા જ્ઞાનાદિની બાબતમાં મહાભંડારરૂપ હતા. તેઓ તપસ્વી હતા, ગુણવંત હતા, નિર્દોષ ભિક્ષાચર્યાથી જીવનારા હતા, અને સુવ્રતી હતા. વળી તેઓ નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, ક્ષમા-મુક્તિ-વિદ્યા-મંત્રવેદ-બ્રહ્મચર્ય-નય-નિયમ-સત્ય-પવિત્રતા તથા સુબુદ્ધિથી યુક્ત, ૧. વાસિત કરવું, એકાગ્ર કરવું, ચિંતન કરવું વગેરે સામટા અર્થોમાં તે શબ્દ જૈન સાહિત્યમાં વારંવાર વપરાય છે. ૨. તેમની વિશેષ માહિતી માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૩૧. ૩. મનની સ્થિરતા-અડગવૃત્તિ-વાળા. ૪. મૂળમાં તેમને માટે જેન પારિભાષિક “પરિષદ’ શબ્દ છે. તેને માટે જુઓ આગળ આ ખંડમાં તે નામનું પ્રકરણું. પ. મૂળમાં તેને માટે ત્રિપા ” શબ્દ છે; એટલે કે, ત્રણે લોકની વસ્તુઓ જ્યાંથી મળી શકે તેવી દુકાન. ૬. વસ્તુને જોવાનાં અનેક દષ્ટિબિંદુઓમાંથી કોઈ પણ એક બધાં દષ્ટિબિંદુઓને સમન્વય કરનાર પુરુષ “નયજ્ઞ” કહેવાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy