SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કાઈથી હિત ચળ નથી શ્રીભગવતીસાર કઈથી ગાંજ્યા જાય તેવા ન હતા. જેના સિદ્ધાંતમાં તેઓ એવા ચુસ્ત હતા કે, દેવ વગેરે આવીને ગમે તેટલા તેમને ભમાવે તો પણ તેઓ ચળે નહીં. તેઓને જૈન સિદ્ધાંતમાં વર્ણવેલ તો બાબત શંકા ન હતી, કે તેમાં જણાવેલ આચાર બાબત વિચિકિત્સા ન હતી. તેઓએ શાસ્ત્રાધ્યયન કરી, તેના અર્થને નિર્ણત કર્યો હતો તથા જૈન સિદ્ધાંત ઉપર હાડેહાડ પ્રેમ વ્યાપેલો હોવાથી તેઓ એમ કહેતા કે, “આ સિદ્ધાંત જ અર્થરૂપ કે પરમાર્થરૂપ છે; બાકી બધું અનર્થરૂપ છે!' તેઓની ઉદારતાને કારણે તેઓના દરવાજાઓના આગળ હમેશાં ઊંચા જ રહેતા, અને તેમનાં આંગણું ક્યારે–ત્યારે જમી ઉઠેલાઓના એંઠવાડવાળાં જ હતાં. તેઓ એવા પવિત્ર ચારિત્રવાળા હતા કે, કેઈના અંતઃપુરમાં તેઓ જતા તો કોઈને કશી શંકા જ આવતી નહતી. તેઓ સ્કૂલ અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અપરિગ્રહ અને અસ્તેયરૂપી શીલવતો'; મર્યાદિતક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવી, ભોગપભોગની વસ્તુઓની મર્યાદા બાંધવી, અને પ્રયજન વિનાને અધર્મવ્યાપાર ત્યાગવો, – એ રૂપી “ ગુણવ્રત'; રાગદ્વેષાદિથી વિરમવારૂપી ‘વિરમણવ્રત'; પાપકર્મ ત્યાગવાના નિયમરૂપી “પ્રત્યાખ્યાનવત'; ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે ઉપવાસ, બ્રહ્મચર્યપાલન, વગેરે રૂપી પૌષધવત', તથા શ્રમણ-સાધુને અન્ન-પાન, વસ્ત્ર-પાત્ર વગેરે આપવારૂપી “અતિથિસંવિભાગ-વત’ બરાબર ૧. એટલે કે અણુવ્રતો. ૨. એ બધાં વ્રતોના વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક, પા. ૨૦-પર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy