SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શખશેઠ ૨૨૩ પ્રમાદ અને નિદ્રાને ત્યાગથી સુદષ્ટિ – જ્ઞાની –નું જાગરણ પછી, તે શાંત પ્રમાણે પાકે ભગવાનને વંદન કરીને પૂછયું: “ભગવન્! ક્રોધને વશ હોવાથી પીડિત થયેલો જીવ કયું કર્મ બાંધે તથા એકઠું કરે ? મહે શંખ! ક્રોધને વશ થવાથી પીડિત થયેલો જીવ આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓ શિથિલ બંધનથી બાંધેલી હોય તો તેમને કઠિન બંધનવાળી કરે છે; અલ્પ સ્થિતિવાળીને દીર્ધ સ્થિતિવાળી, મંદ અનુભાગવાળીને તીવ્ર અનુભાગવાળી, તથા અલ્પ પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરે છે; અશાતવેદનીય કર્મ વારંવાર એકઠું કરે છે, તથા અનાદિ અનંત અને દીર્ઘમાર્ગવાળા આ સંસારારણ્યને વિષે પર્યટન કરે છે. તે કારણથી તે સિદ્ધ થતો નથી તેમ જ સર્વ દુ:ખને અંત લાવી શકતો નથી. તે પ્રમાણે માન, માયા અને લોભને વશ થયેલાઓનું પણ સમજવું. . ત્યારબાદ તે શ્રમણોપાસકે ભગવાન પાસેથી એ વાત સાંભળી ભય પામ્યા અને ઉદ્વિગ્ન થયા; પછી તેઓ ભગવાનને વંદન કરી શંખ પાસે આવ્યા અને તેની વારંવાર વિનયપૂર્વક ક્ષમા માગવા લાગ્યા. ત્યાર બાદ તેઓ પાછા ચાલ્યા ગયા. તે પછી ગૌતમે ભગવાનને પૂછયું : ભગવન! તે શંખ શ્રમણોપાસક આપની પાસે પ્રવજ્યા લેશે? ૧જાગરિકા ત્રણ પ્રકારની છે: (બ્રહ્મચારી સાધુઓ વગેરે) બુદ્ધાની; (જેમને હજુ કેવલજ્ઞાન નથી થયું એવા) અબુદ્ધોની; અને (શ્રદ્ધાળુ શ્રાવકો રૂપી) સુદર્શનેની. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy