________________
૨૨૨
શ્રીભગવતી-સાર બોલાવવા મોકલીએ. પછી તેઓએ પુષ્કલી નામના શ્રાવકને શંખની પાસે મોકલ્યા. પુષ્કલીએ ઉત્પલાને જઈને શંખ વિષે પૂછયું અને પિષધશાલામાં જઈ શંખને બધી વાત કરી. ત્યારે તેણે કહ્યું કે, પુષ્કળ અન્નપાનાદિ આહારને આસ્વાદ લેતા પિષધનું પાલન કરવું મને એગ્ય ન લાગ્યું; મને તો આ રીતે પિષધશાલામાં પિષધયુક્ત થઈને વિહરવું યેગ્ય લાગે છે. પરંતુ, તમે બધા તે પહેલાં નક્કી કર્યા પ્રમાણે અન્નપાનાદિનો આસ્વાદ લેતા વિહરો.
પછી પેલા બધા શ્રમણોપાસકો તો વિપુલ અન્નપાનાદિનો આસ્વાદ લેતા વિહરવા લાગ્યા.
- ત્યાર બાદ મધ્યરાત્રીના સમયે ધર્મ–જાગરણ કરતા શંખને એવો વિચાર આવ્યો કે, આવતી કાલે સૂર્ય ઊગવાને સમયે મહાવીર ભગવાનને વંદનાદિ કરીને મારા આ પિપધવ્રતને પૂરું કરું. એમ વિચારી તે યાચિત સમયે પિૌષધશાલામાંથી બહાર નીકળી, શુદ્ધ, બહાર જવા યોગ્ય, તથા મંગલરૂપ વા ઉત્તમ રીતે પહેરી, પગે ચાલતો મહાવીર ભગવાનને વંદનાદિ કરવા ગયો.
પેલા શ્રમણોપાસકો પણ ભેગા થઈ ભગવાનને વંદનાદિ કરવા આવ્યા. પછી મહાવીર ભગવાને તેમને ધર્મકથા કહી. પછી તે બધા ઊભા થઈ જ્યાં શંખ હતો ત્યાં આવ્યા અને, તેને ઠપકો આપવા લાગ્યા. ત્યારે મહાવીર ભગવાને તે શ્રમણોપાસકેને કહ્યું કે, “હે આર્યો! તમે શંખની હીલના, નિંદા અને અપમાન ના કરે; કારણ કે તે ધર્મને વિષે પ્રીતિવાળો અને દૃઢતાવાળે છે; તથા તેણે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org