SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક વ્યાખ્યાઓ પરિવહ ગૌ–હે ભગવન્! કેટલા પરિષહે કહ્યા છે? ભ૦–હે ગૌતમ! પરિષહો ૨૨ છેઃ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશ-મસક (ડાંસ-મચ્છર), નગ્નતા, અરતિ, (કંટાળો), સ્ત્રી, ચર્યા (ગામેગામ પગપાળા ફરવું તે), નૈષેલિકી (સ્મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈનાં સ્થાન), શય્યા, આક્રોશ (તિરસ્કાર ), વધ (ભાર), યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાન, અને દર્શન (શ્રદ્ધા). આ બધી સાધકના માર્ગમાં આવતી મુશ્કેલીઓ છે. તે બાવીસે પરિષહનો ચાર કર્મપ્રકૃતિમાં સમાવેશ થાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય અને અંતરાય. તેમાં જ્ઞાનાવરણીયકર્મમાં પ્રજ્ઞા અને જ્ઞાન એ બે પરિષહનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાનો અભાવ, તેમ જ જ્ઞાનને અભાવ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જ થાય છે. વેદનીયકર્મમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ એ અગિયારને સમાવેશ થાય છે. દર્શનમેહનીય કર્મમાં દર્શનપરિષહ એકલાને સમાવેશ થાય છે. પ્રજ્ઞા અને જ્ઞાનને બદલે ૧. ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨. માં જ્ઞાન અને અજ્ઞાન એ બે છે. ૧૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy