SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર જીવનનર્વાહમાં ઉપયોગી ક, શરીર અને દિ ઉપધિ કહેવાય છે; અને તે જ મમત્વબુદ્ધિથી ગૃહીત થાય, ત્યારે પરિગ્રહ કહેવાય છે. ૧૩૦ ગૌ॰હે ભગવન ! પરિગ્રહ કેટલા પ્રકારના કહ્યો છે? હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારના કહ્યો છેઃ કર્મ પરિગ્રહ, શરીરપરિગ્રહ, અને વજ્રપાત્રા દ ઉપકરણરૂપ પરિગ્રહ. મારું કાઈ પણ પ્રકારના નિશ્ચિત આલંબનમાં મન-વચનકાયના વ્યાપારને સ્થિર કરવા તે પ્રણિધાન. ગૌ-હે ભગવન્! પ્રણિધાન કેટલા પ્રકારનું કર્યું છે? મ્હે ગૌતમ! પ્રણિધાન ત્રણ પ્રકારનું કહ્યું છે : . : મનપ્રણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. ગૌ-હે ભગવન્ ! દુપ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? મહે ગૌતમ! મન-વચન-કાય એમ ત્રણે છે. સુપ્રણિધાન પણ એ ત્રણે પ્રકારનું હેય છે. વૈમાનિક સુધીનાને સુપ્રણિધાન હોઈ શકે છે. --- પ્રકારનું મનુષ્યથી શતક ૧૮, ઉર્દૂ છ C ૧. તેમાંથી નૈયિકથી સ્તનિતકુમાર સુધીનાને ત્રણ, પૃથ્વીકાયિકથી વનસ્પતિકાચિક સુધીનાને કાયપ્રણિધાન, એ પ્રદ્રિયથી ચાર ઇન્દ્રિયવાળા સુધીનાને વચન અને કાચપ્રણિધાન, તથા બાકીનાને (વૈમાનિકા સુધી) ત્રણે હોય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy