________________
કેટલીક વ્યાખ્યાઓ
૧૫:
પડે. વળી આમત્રણી વગેરે ભાષા વિધિ કે નિષેધ વડે સત્ય ભાષાની પેઠે વસ્તુમાં નિયત નથી; તે તેમને શું કહેવી? જવાબમાં કહ્યું છે કે, ભવિષ્યકાળમાં જે વસ્તુ કરવાની કહી હાય, તે વમાનકાળની દૃષ્ટિએ કશું નિશ્ચિત નથી કહેતી; ઉપરાંત આમંત્રણી વગેરે ભાષા કશાને વિધિપ્રતિષેધ નથી કરતી, પરંતુ તે પણ નિર્દોષ પુરુષાર્થની સાધક છે.
શતક ૧૦, ઉદ્દે॰ ૩
ઉપધિ-પરિગ્રહ-પ્રણિધાન
ઉધિ એટલે જીવનનિર્વાહમાં ઉપયાગી શરીર તથા વસ્ત્રાદિ. રાજગૃહ નગરને પ્રસંગ છે.
ગૌ॰હું ભગવન ! ઉપધિ કેટલા પ્રકારના કહ્યો છે? હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારને કહ્યો છે: કર્મરૂપી ઉધિ, શરીરરૂપી ઉપધિ અને ખાદ્ય પાત્ર-વાદિ સામગ્રીરૂપ ઉપધિ. નૈરિયકાને કર્યું અને શરીરરૂપ એ જ ઉપધિ હેાય છે. એકેન્દ્રિય જીવાને પણ એ બે જ પ્રકારના હાય છે; તે સિવાયના બીજાઓને ત્રણે પ્રકારના હોય છે.
ગૌ—હે ભગવન્ ! ઉધિ કેટલા પ્રકારને કહ્યો છે? મ—હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારના કહ્યો છેઃ સચિત્ત, ચિત્ત અને મિત્ર. નારયિકાથી માંડી વૈમાનિકા સુધી બધાને એ ત્રણે પ્રકારના ઉપધિ હાય છે.ર
૧. વૈમાનિકા સુધીના.
૨. નારકોના ચિત્ત ઉપધિ તે શરીર, અચિત્ત ઉપધિ તે ઉત્પત્તિસ્થાન, અને શ્વાસેાાસાદિ યુક્ત શરીર સંચેતનાચેતનરૂપ મિશ્ર ઉપધિ કહેવાય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org