SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક વ્યાખ્યાઓ થવાથી ચેતનાને ભ્રશ થવો તે. અને ૨. મોહનીસકર્મના ઉદયથી થયેલો –એટલે કે અતત્વને તત્ત્વ માનવારૂપ અને તત્વને અતત્વ માનવારૂપ; તથા વિષયાદિનું સ્વરૂપ જાણવા છતાં અજ્ઞાનીની પેઠે તેમાં ને તેમાં પ્રવૃત્ત થવારૂપ; તથા કામાવેશથી હિતાહિતનું ભાન ભૂલી જવારૂપ. – શતક ૧૪, ઉદ્દે ૨ પ્રત્યેનીક પ્રત્યેનીક એટલે વિરોધી અથવા દેવી. રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌ–હે ભગવન! ગુરુઓની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક મ–હે ગૌતમ! ત્રણ પ્રત્યેનીક કહ્યા છે. તે આ પ્રમાણે આચાર્ય પ્રત્યેનીક; ઉપાધ્યાય પ્રત્યેનીક અને સ્થવિર પ્રત્યેનીક, ગૌ–હે ભગવન્! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેની કહ્યા છે? મ– હે ગૌતમ! ત્રણ પ્રત્યેનકે કહ્યા છે. તે આ પ્રમાણે ઈકિયાદિકથી પ્રતિકૂલ અજ્ઞાન કષાયાચરણ કરનાર ઈહલોક–પ્રત્યાનીક;” ઈદ્રિયના વિષયમાં તત્પર રહેનાર પરલોક–પ્રત્યનીક; અને ચૌર્યાદિક વડે ઈદ્રિયના વિષયમાં તત્પર રહેનાર તે “ઉભયલેક–પ્રત્યનીક.” – શતક ૮, ઉદ્દે ૮ ૧. ઉંમર, વિદ્યા, અથવા દીક્ષાને કાળ એ બાબતેમાં જે સાધુ માટે હોય તે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy