SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રીભગવતીન્સાર કોઈ એક દ્રવ્યનું અવલંબન લઈ, ધ્યાન કરવામાં આવે, તથા તે દરમ્યાન તે દ્રવ્યના કેઈ એક પરિણામ ઉપર સ્થિર ન રહેતાં, તેનાં વિવિધ પરિણમે (“પૃથફ') ચિત્તમાં લાવ્યા કરે; તથા કઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર, કે પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર, કે શબ્દ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; તેમ જ મન-વાણી-કાયા એ ત્રણના વ્યાપારોમાં કોઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણ કર્યા કરે (“વિચાર”), તે. (એકત્વ-વિતર્ક-અવિચાર – એટલે કે જેમાં દ્રવ્યના કોઈ એક પરિણામ ઉપર જ નિશ્ચલ થવામાં આવે છે, તથા શબ્દ અર્થના ચિંતનનું કે, મન-વાણ-કાયાને વ્યાપારનું કશું પરિવર્તન કરવામાં નથી આવતું. (૩) સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ – એટલે કે જેમાં મન અને વચનના વ્યાપારને સર્વથા રોધ કરવાથી અને કાયવ્યાપારોમાંના સ્થલ કાયવ્યાપારોને રેધ કરેલે હાઈ, જેમાંથી પાછું પડાતું નથી. (૩) સમુચ્છિન્નક્રય-અનિવૃત્તિ – એટલે કે જેમાં ભૂલસૂમ બધા વ્યાપારોનો સર્વથા નિરોધ કરેલો હોઈ કાયિકી આદિ ક્રિયાઓને સર્વથા ઉચ્છેદ થયે હોય છે તે. શુકલધ્યાનનાં ચાર લક્ષણે છે: ક્ષમા, નિઃસ્પૃહતા, આર્જવ – સરલતા, અને માર્દવ – માનત્યાગ. શુકલધ્યાનનાં ચાર આલંબન છે : અવ્યથા – ભયને અભાવ, અસંમેહ, વિવેક – શરીર આત્માની ભિન્નતા, અને વ્યુત્સર્ગ–અસંગપણું (ત્યાગ). શુકલધ્યાનની ચાર ભાવનાઓ છેઃ સંસારના અનંતવૃત્તિપણે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy