SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ " આલોચના, પ્રાચાય રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છેઃ હિંસા સંબંધી નિરંતર ચિંતન, અસત્ય સંબંધી નિરંતર ચિંતન, ચૌર્ય સંબંધી નિરંતર ચિંતન, અને ધન વગેરેના સંરક્ષણ સંબંધે નિરંતર ચિંતન. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણ છે: હિંસા વગેરેથી નહિ અટકવારૂપ દે, હિંસા વગેરેમાં પ્રવૃત્તિ કરવારૂપ દે, હિંસાદિ અધર્મમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવારૂપ દોષો, અને ભરણુપર્યત પાપને પશ્ચાત્તાપ ન કરવારૂપ દો. ધર્મધ્યાનના ચાર પ્રકાર છેઃ આજ્ઞાવિચય – જેમાં જિનશાસ્ત્રને નિર્ણય છે એવું ચિંતન; અપાયરિચય – રાગદ્વેષાદિજન્ય અનર્થો સંબંધે ચિંતન, વિપાકવિચય – કર્મનાં ફળ સંબંધે ચિંતન, અને સંસ્થાનવિચય – લેક-દીપ-સમુદ્રાદિના આકાર સંબંધે ચિંતન ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : આજ્ઞારુચિ – જિનપદેશમાં રુચિ; નિસર્ગરુચિ – સ્વભાવથી તત્વમાં રુચિ; સૂત્રરુચિ – શાસ્ત્રાભ્યાસથી તત્ત્વચિ; અને અવગાહરુચિ – દ્વાદશ અંગગ્રંથના સવિસ્તર અવગાહનથી રૂચિ. ધર્મધ્યાનનાં ચાર આલંબન છે: વાચના (અધ્યયન), પ્રતિકૃચ્છના, પરિવર્તન (પુનરાવર્તન) અને ધર્મકથા. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ છે : એકત્વભાવના, અનિત્યભાવના, અશરણભાવના અને સંસારભાવના.* શુકલધ્યાનના ચાર પ્રકાર છે: (બ) પૃથફત્વ-વિતર્કસુવિચાર – એટલે કે જેમાં, વિતક અર્થાત પૂર્વગ્રંથ અનુસાર " એમના વિસ્તાર માટે જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર પા. ૯૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy