________________
શ્રીભગવતી-સાર પ્રવૃત્તિ કરવી. તેનાથી ઉલટા એવા સાત અપ્રશસ્ત કાયવિનય છે.
કેપચારવિનયના સાત પ્રકાર છે. ગુરુ વગેરે વડીલવર્ગની પાસે રહેવું, તેમની ઈચ્છા પ્રમાણે વર્તવું, કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સવડ કરી આપવી, કરેલા ઉપકારને બદલે દેવો, રેગીઓની સંભાળ રાખવી, અવસરચિત પ્રવૃત્તિ કરવી, અને સર્વે કાર્યોમાં અનુકૂળપણે વર્તવું.
૩. વૈયાવચ (સેવા)ના દશ પ્રકાર છે : (વ્રત અને આચાર ગ્રહણ કરાવનાર) આચાર્યનું, (અધ્યાપક ) ઉપાધ્યાયનું, (વૃદ્ધ અને વડીલ એવા) સ્થવિરનું, તપસ્વીનું, રેગીનું, (નવા પ્રાથમિક શિષ્ય) શૈક્ષનું, (એક આચાર્યના શિષ્યના પરિવારરૂપ) કુલનું, ( સાથે અધ્યયન કરતા સાધુઓના સમૂહરૂ૫) ગણનું, સંધનું, અને સાધમિકનું.
૪. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે : વાચના (અધ્યયન), પૃચ્છને, પુનરાવર્તન, ચિંતન અને ધર્મકથા.
૫. ધ્યાનના ચાર પ્રકાર છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ.
આર્તધ્યાનના ચાર પ્રકાર છે: અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં તેના વિયેગનું ચિંતન કરવું, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં તેને અવિયેગનું ચિંતન કરવું, રોગાદિ કષ્ટ પ્રાપ્ત થતાં તેના વિયેગનું ચિંતન કરવું, અને પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગાદિકની પ્રાપ્તિ થતાં તેના અવિયેગનું ચિંતન કરવું. આર્તધ્યાનનાં ચાર લક્ષણ છેઃ આકંદન, દીનતા, આંસુ પાડવાં, અને વારેવારે કશયુક્ત બોલવું.
સામે નાગાયન
અને ધર્મ
, શિક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org