SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીભગવતી-સાર જાય છે, કેટલાકને બધે સ્થળે કાયમ રહે છે, કેટલાકને ધીમે ધીમે વધતું જાય છે, કેટલાનું વધ-ઘટ પામ્યા કરે છે; અને કેટલાકનું સ્થિર રહે છે. તે મુજબ કેટલાક તે દેવને જુએ, પણ વિમાનને ન જુએ, કેટલાક વિમાનને જુએ પણ અને ન જુએ; કેટલાક દેવ અને યાન બંનેને જુએ તથા કેાઈ એ બેમાંથી એકેને ન જુએ. ગૌ–હે ભગવન્! તે ભાવિત-આત્મા સાધુ ઝાડના અંદરના ભાગને જુએ કે બહારના ભાગને જુએ? મહે ગૌતમ! કોઈ અંદરનો ભાગ જુએ, કાઈ બહારનો જુએ, તથા કોઈ બંનેને જુએ [વગેરે ઉપર મુજબ]. ગૌ–હે ભગવન્! ભાવિત-આત્મા સાધુ વૈક્રિય શરીર ધારણ કરી વૈભાર પર્વતને ઓળંગી શકે ? ભ૦–હે ગૌતમ! ઓળંગી શકે. ગૌ –હે ભગવન! તે સાધુ વૈક્રિય શક્તિ વડે જેટલાં રૂપે રાજગૃહનગરમાં છે, તેટલાં રૂપ બનાવી, વૈભાર પર્વતમાં પ્રવેશ કરી, તે સમ પર્વતને વિષમ કરી શકે ? કે તે વિષમ પર્વતને સમ કરી શકે? મહ–હા ગૌતમ! કરી શક. – શતક ૩, ઉદે૪ - ગૌ–હે ભગવન! ભાવિત આત્મા સાધુ વૈક્રિય શક્તિ વડે એક મોટું સ્ત્રીરૂપ સર્જવા સમર્થ છે? - ૧, રાજગૃહથી અડધા ગાઉ જેટલે છેટે પાંચ પહાડે આવેલા છે, તેમાંને એક. વિભારગિરિ, વિપુલગિરિ, હદયગિરિ, સુવર્ણગિરિ અને રત્નગિરિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy