SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ઉપરની ચાર ઉપરાંત પ્રાણાતિપાત ક્રિયા મળીને પાંચ ક્રિયા વાળો થાય છે. ગૌ૦–હે ભગવન્! કોઈ પુરુષ વન-જંગલમાં તરણાં ભેગાં કરી, તેમાં આગ મૂકે, તો તે કેટલી ક્રિયાઓ વાળો કહેવાય ? મ–હે ગૌતમ ! જ્યાં સુધી તરણાંને ભેગાં કરે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળો છે; આગ મૂકે ત્યારે ચાર ક્રિયાઓવાળે છે અને બાળે ત્યારે પાંચ ક્રિયાઓવાળા થાય છે. ગૌ હે ભગવાન! હરણથી આજીવિકા ચલાવનાર શિકારી વન-જંગલમાં કોઈ હરણને મારવા બાણ ફેકે, તે તે કેટલી ક્રિયાઓ વાળા થાય ? મહ–હે ગૌતમ! જ્યાં સુધી તે બાણ ફેકે છે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયા વાળો છે; મૃગને વધે છે, ત્યાં સુધી ચાર ક્રિયાવાળો છે; અને મૃગને મારે છે, ત્યારે પાંચ ક્રિયાવાળો થાય છે. ગૌ–કોઈ પારધી મૃગને મારવા બાણ ધનુષ્ય ઉપર ચડાવી કાન સુધી ખેંચે, તેવામાં તેનો શત્રુ આવી તેનું માથું તરવારથી કાપી નાખે; પરંતુ પેલું બાણ છટકી પેલા મૃગને વીધે, તે પેલા શત્રુને મૃગની હત્યા પણ લાગે કે પારધીની જ? મ–મૃગની હત્યા પેલા પારધીને જ લાગે છે; પેલા શત્રુને તે પારધીની જ હત્યા લાગે. કારણ કે, “જે વસ્તુ ૧. વધ કરવારૂપી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy