SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર કરે; તપાસ કરતાં જ્યાં સ્થવિરેને જુએ ત્યાં જ તે પિંડ તેમને આપે; જે સ્થવિરે ન જડે, તે તે પિંડ પોતે ખાય નહિ, અને બીજાને આપે નહિ, પણ એકાંત – જવરઅવર વિનાનું, નિર્જીવ સ્થળ જોઈને તેને સાફ કરી ત્યાં નાખી દે. એ પ્રમાણે ત્રણ, ચાર . . . અને દશ પિંડનું તથા પાત્ર વગેરેનું પણ સમજવું. – શતક ૮, ઉદ્દે ૬ રાજગૃહ નગરનો પ્રસંગ છે : ગૌતમ–હે ભગવન! અંગારદેષરહિત, ધૂમદોષસહિત અને સજનાદોષ વડે દુષ્ટ પાનભોજનને શું અર્થ છે? - મ–હે ગૌતમ! કોઈ નિગ્રંથ સાધુ યા સાધ્વી નિર્જીવ અને નિર્દોષ અન્નપાનાદિ ગ્રહણ કરી, તેમાં મૂછિત, લુબ્ધ અને આસક્ત થઈને આહાર કરે, તો હે ગૌતમ! એ અંગારદેષ સહિત પાનભેજન કહેવાય. જે તેને અત્યંત અપ્રીતિપૂર્વક તથા ક્રોધથી ખિન્ન થઈને ખાય–પીએ તો હે ગૌતમ! એ ધૂમદેષસહિત પાનભોજન કહેવાય; અને કેાઈ સાધુ યા સાધ્વી આહારને ગ્રહણ કરી, તેમાં સ્વાદ ઉત્પન્ન કરવા બીજા પદાર્થ સાથે સોગ કરી તેનું ભજન કરે, તો હે ગૌતમ ! એ સંજનાદેશ વડે દુષ્ટ પાનભેજન કહેવાય. એ બધાથી ઊલટું કરવું, એ તે દોષથી રહિત પાનભેજન છે. ગૌ૦–હે ભગવદ્ ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાત, માર્ગીતિક્રાન્ત, અને પ્રમાણતિક્રાન્ત પાનભેજન એટલે શું? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy