SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Hધુ - ટિપણે ૮૫ કવાયકુશલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. કષાયકુશીલ કવાયકુશીલપણું ત્યાગીને પુલાકપણું, બકુશપણું, પ્રતિસેવનાકુશીલપણું, નિગ્રંથપણું, અસંયમ કે સંયમસંયમ પામે. નિગ્રંથ નિગ્રંથપણું છોડીને કષાયકુશીલપણું, સ્નાતપણું કે અસંયમ પામે. સ્નાતક સ્નાતકપણું છોડીને સિદ્ધગતિ જ પામે. ૨૨. પુલાક આહારાદિની અનાસક્તિ (સંજ્ઞા)થી યુક્ત છે; અને બકુશ, પ્રતિસેવનાકુશીલ તથા કષાયકુશીલ આહારાદિની આસકિત (સંજ્ઞા)થી યુક્ત છે તેમ અયુક્ત પણ છે. સ્નાતક અને નિગ્રંથ પુલાકની પેઠે (નોસંજ્ઞા યુક્ત) જાણવા. ૨૩. પુલાકથી માંડીને નિગ્રંથ સુધી આહારક હોય ૧. ઉપશમનિગ્રંથશ્રેણીથી પડતે સકષાય – કક્ષાયકુશીલ થાય; અને શ્રેણીના શિખરે મરણ પામી દેવપણે ઉત્પન્ન થતો અસંયત થાય. ૨. આહાર એટલે સ્કૂલ શરીરને પોષક આહારરૂપે સ્થલ પુદ્ગલો ગ્રહણ કરવાં તે. અનાહારક દશા, મર્યા બાદ મુક્તિ થનાર જીવને હોય છે; કારણ કે તે સૂક્ષ્મ સ્થૂલ બધાં શરીરથી રહિત હોય છે; અથવા તો મર્યા બાદ બે અથવા ત્રણ વાંકવાળી ગતિથી અન્ય જન્મસ્થાને જનાર છવને હોય છે; કારણકે તે ગતિવાળા અને પહેલે સમય ત્યક્ત શરી૨ દ્વારા કરેલા આહારના અને અંતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહારનો છે; પરંતુ એ પ્રથમ તથા અંતિમ બે સમયે છોડીને વચલ કાલ આહારશન્ય હોય છે. એક વાંક સુધી જતાં એક સમય જાય. જે જીવને બે અથવા ત્રણ વાંક વળવાના હોય છે તેને અનાહાર સમય હોય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy