SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર માત્ર વેગને જ સભાવ હેાય છે; તેથી નિમિત્ત માત્ર વેદનીયકર્મ બાંધે. સ્નાતકનું પણ તેમ જ જાણવું; પરંતુ અગી (૧૪ મા) ગુણસ્થાનકે બંધહેતુનો અભાવ હોવાથી તે એક પણ ન બાંધે. પુલાકથી કષાયકુશલ સુધીના આઠે કર્મપ્રકૃતિએને અનુભવે છે. નિગ્રંથ મેહનીય સિવાયની સાતને, અને સ્નાતક વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ ચારને. પુલાક આયુષ અને વેદનીય સિવાયની છ કર્મ પ્રકૃતિને ઉદીરે છે. બકુશ (આયુષ સિવાયની) સાત, આઠ, કે (આયુષ, વેદનીય સિવાય) છ ને ઉદીરે છે; એવું જ પ્રતિસેવનાકુશીલનું સમજવું; કષાયકુશીલ ઉપર જણાવેલી સાત, આઠ, કે છ ઉપરાંત (આયુષ્ય, વેદનીય તથા મેહનીય સિવાયની) પાંચને પણ ઉદીરે છે. નિગ્રંથ (ઉપર જણાવેલી) પાંચને કે નામ અને ગેત્ર એ બેને ઉદીરે છે. સ્નાતક નામ અને ગાત્ર એ બેને ઉદીરે કે ન પણ ઉદીરે. ૨૧. પુલાક પુલાઉપણું ત્યાગીને કષાયકુશીલપણું કે અસંયતપણું પામે. બકુશ બકુશપણું છોડીને પ્રતિસેવનાકુશીલપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. પ્રતિસેવનાકુશીલ પ્રતિસેવનાકુશીલપણું છોડીને બકુશપણું, ૧. અડી તેમ જ પછી, જે જે પ્રકૃતિઓ નથી ઉદીરાતી તે તે પૂર્વે ઉદીરીને જ પુલાક બકુશાદિપણું પામવામાં આવ્યું હોય છે એમ સમજવું. સ્નાતક સગી અવસ્થામાં નામગાત્ર કર્મના Bદીફ છે. ઉતરવું એટલે ભવિષ્યકાળમાં જ ફળ આપનાર કર્મને કરણવિશેષથી ખેંચી લાવી, અત્યારે જ ભેગવવામાં નાખી દેવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy