SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૬૧ જીવનથી આગળ વધવાને સંગ સાંપડયો અને આપણું નામ આ સ્થાનમાં રહ્યા ત્યાં સુધી જે “અવ્યવહાર-રાશિ” હતું તે હવે બદલાઈને “વ્યવહાર–રાશિફ્ટ થયું. આજે આપણે પાપની પરિસીમા વટાવી જઈએ તે ફરીથી આપણને સૂક્ષમ નિગેદના જીવ તરીકે જન્મવાનું થાય પરંતુ એ વાત ચોક્કસ છે કે એક વેળા આપણે પહેલાની અવ્યવહાર-રાશિમાંથી છૂટયા છીએ એટલે અબજે વર્ષે પણ ફરીથી આ અધમાધમ દશામાંથી આગળ વધવાનો સંભવ રહે છે અને ભલે એ દિશામાં રહીએ તે પણ વ્યવહારીઆ જ ગણાઈએ. અવ્યવહાર–રાશિ તરીકે ઓળખાવાતી દશા કરતાં પણ અધમ દશા છે જે કે એ સજીવ પ્રાણની નથી. નિર્જીવ યાને અજીવ પદાર્થમાં ચિતન્યનું નામનિશાને ય નથી. (અને એ એને કદી મળે તેમ નથી) જ્યારે સૂક્ષ્મ નિગોદના જીવને એ છે, જો કે આ ચૈતન્યની માત્રા સવજ્ઞતા રૂપ સાગરની અપેક્ષાએ તે એક નાનામાં નાના બિન્દુ જેટલી પણ ભાગ્યે જ ગણાય. અહીં એ ઉમેરીશ કે જૈન દર્શન પ્રમાણે અત્યાર સુધીમાં જે અનંત છ મુક્તિપદને પામ્યા છે તે સર્વે એક વેળા તે સૂક્ષ્મ નિગેદના જીવ હતા. એમણે પોતાના સામર્થ્યને સંગ અનુસાર ઉપગ કર્યો અને એ અનન્ય સુખ, શક્તિ અને જ્ઞાનના સ્વામી બન્યા. આપણે પણ આવા બની શકીએ, સિવાય કે આપણામાંથી કે ઈક કદી પણ મેક્ષે ન જનાર અભવ્ય હેય. આપણામાંના કેટલાં યે મેહની મદિરા પીને મદેન્મત્ત બન્યા છીએ એને લઈને આપણને સાચો માર્ગ જણાતું નથી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy