SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા લાકડું સ્વાભાવિક રીતે સળગતું સળગતું આગળ સળગે પરંતુ એને સંકેરીએ તે જલદી બળે. વિપાક-ઉદીરણું થાય તે માટે કર્મની સ્થિતિ ઘટાડવી જોઈએ. આ કાર્ય “અપવર્તના” નામના કરણ દ્વારા સધાય છે. અકાળ-મૃત્યુમાં આયુષ્યની ઉદીરણા કારણરૂપ છે. ચૌદમા ગુણસ્થાનમાં ઉદીરણાને માટે અવકાશ નથી. એ ત્યાં હોય જ નહિ.. આગાલ ” એ ઉદીરણાને એક પ્રકાર છે. કર્મનાં દળિયાંની બે સ્થિતિ કરાયા બાદ “ઉદીરણા કરણ વડે દ્વિતીય સ્થિતિમાં રહેલાં દળિયાંને આકર્ષી ઉદયાવલિકામાં દાખલ કરવા તે “આગાલ” કહેવાય છે. આમ આગાલ એ દ્વિતીય સ્થિતિને લગતી ઉદીરણા છે, સંક્રમ– કર્મ આત્માથી અલગ થાય નહિ ત્યાં સુધી એ તે જ સ્વરૂપે પડી પણ રહે અને કેટલાંક કર્મ ન પણ પડી રહે–એના સ્વભાવમાં ડેક ફેરફાર થઈ શકે. એક કર્મને એના બીજા સજાતીય કર્મરૂપે પલટાવી શકાય. આને “સંક્રમણ કહે છે. એક મૂળ પ્રકૃતિ અન્ય મૂળ પ્રકૃતિરૂપે કદી ફેરવી ન શકાય. એ જાતના સંક્રમ માટે અવકાશ નથી પરંતુ કર્મની ઘણીખરી ઉત્તર પ્રવૃતિઓમાં આ સંભવે છે. જેમ સુખ ઉત્પન્ન કરનાર વેદનીય કર્મને-સાત વેદનીયને દુખ ઉત્પન્ન કરનાર વિદનીયરૂપે-અસાત વેદનીયરૂપે કે અસાતવેદનીયનું સાત વેદનીયરૂપે સંક્રમણ થઈ શકે આયુષ્ય-કર્મ અપવાદરૂપ છે. આયુષ્યના ચાર પ્રકારો પરસ્પર સંક્રમણથી મુક્ત છે. જે ગતિનું આયુષ્ય બંધાયું હોય તે જ ગતિમાં જવું પડે એમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy