SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વર કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો ફેરફાર ન જ થઈ શકે. દર્શન– મેહનીય અને ચારિત્ર–મેહનીય માટે પણ એમ જ છે અર્થાત્ દર્શન–મેહનીયને ચારિત્રમેહનીયરૂપે અને ચારિત્ર–મેહનીયને દર્શન–મેહનીયરૂપે ફેરવાય તેમ નથી. સંક્રમમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે અન્ય રૂપે થાય છે જ્યારે અપવર્તન અને ઉદૃવતનમાં સ્થિતિ અને રસ એ બે જ સ્વરૂપે કરી હીન કે અધિક થાય છે. નિધત્તિ– કમમાં એ સંસ્કાર ઉપજાવ કે જેથી એના ઉપર અપવર્તન કે ઉદૃવતના સિવાય અન્ય કોઇ કરણનું જોર ચાલે નહિ–સંક્રમ માટે પણ અવકાશ રહે નહિ. આને 'નિધત્તિ કહે છે અને એ પ્રકારના સંસ્કારવાળા કર્મને “નિધત્ત' કહે છે. નિકાચના – કર્મમાં એ સંસ્કાર ઉત્પન્ન કરે જેથી એના ઉપર એકે કરણનું જોર ચાલે નહિ અર્થાત્ ન એના સ્વભાવમાં અંશે પણ પલટો લવાય કે ન એની સ્થિતિમાં કે રસમાં વધઘટ કરી શકાય. અન્ય શબ્દોમાં કહીએ તે સંક્રમ, અપવર્તન અને ઉદ્દવર્તના જેવાં કરણે એને કંઈ કરી શકે નહિ. આ જાતના સંસ્કારની ઉત્પત્તિને “નિકાચના” કહે છે અને એવા સંસ્કારવાળા કમને “નિકાચિત’ કહે છે. એનું ફળ પ્રાયઃ ભેગવવું જ પડે. ' ઉપશમના– જે કર્મ ઉપર ઉદય, ઉદીરણું નિધત્તિ અને નિકાચનાની કશી અસર ન થાય એવી એની અવસ્થા તે ઉપશમના ” છે. આ કરણ દ્વારા વિપાકેદય તે શું પણ પ્રદેશોદયને પણ રેકી રખાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy