SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા બંધાવલિકા, ઉદયાવલિકા અને નિષેક-કાળ – અસંખ્ય સમયે જેટલે વખત “આવલિકા” કહેવાય છે. મુહૂર્ત એટલે એ ઘડી યાને ૪૮ મિનિટ. ૪૮ મિનિટની ૧, ૬૬, ૭, ૨૧૬ આવલિકા થાય છે. અર્થાત્ લગભગ એક કરોડ ને સડસઠ લાખ થાય છે. એ હિસાબે એક મિનિટની લગભગ સાડા ત્રણ લાખ આવલિકા ગણાય. કર્મ બંધાયા પછી એક આવલિકા સુધી એ એમ ને એમ પડી રહે છે. એને બંધનકરણને ઝપાટે લાગતાં જાણે એને મૂચ્છ આવી ન ગઈ હોય ? અબાધા-કાળ દરમ્યાન એના ઉપર એક યા બીજા કરણની અસર ઓછેવત્તે અંશે હોય છે. એ કરણના ઝપાટામાંથી એ અબાધા-કાળ પૂર્ણ થતાં છૂટે છે અને પિતાનું ફળ બતાવવાને અધીરું બને છે. એ એક આવલિકા જેટલા વખતમાં પિતાને કાર્યક્રમ ગોઠવે છે. આટલા નિયત કાળને ઉદયાવલિકા' કહે છે. એક આવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. એમ કેટલી ચે ઉદયાવલિકાઓ પસાર થાય ત્યારે કર્મને ઉદય-કાળ પૂરો થાય. દરેક ઉદયાવલિકામાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. આ સંપૂર્ણ ઉદયકાળ “નિષેક-કાળ” કહેવાય છે. ૧. સમય એટલે કાળને નાનામાં નાને વિભાગ. એક આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. ૨. ઉદયના સમયથી માંડીને એક આવલિકા સુધી વખત તે ઉદયાવલિકા” કહેવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy