SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદાતઃ રૂપરેખા અને પ્રૌઢ મળે આ આઠ પ્રકૃતિબન્ધના પ્રકારે છે. એના ઉપપ્રકારની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨ અને ૫. આમ એકંદરે ૯૭ ઉપપ્રકારે છે. “નામ” કર્મના ૪રને બદલે ૧૦૩ ભેદે પણ ગણાવાય છે. આ કર્મની ૪૨ પ્રકૃતિઓના ચાર વર્ગ પડાય છે: (૧) ૧૪ પિડ-પ્રકૃતિએ, (૨) ત્રદશક, (૩) સ્થાવરદશક અને (૪) ૮ પ્રત્યેક પ્રકૃતિએ. પ્ર. ૧૦ : કર્મને કહે કે પ્રકાર એ બાંધનારના કઈ કઈ શક્તિને–એના કયા કયા ગુરુનો ઘાતક કે હાનિકર્તા કે અવરોધક છે? ઉત્તર : પ્રત્યેક કર્મ એ સંસારી આત્માના સ્વરૂપને બાધક છે– અવરોધક છે. સંસારી આત્માની ઓછી કે વત્તી ખાનાખરાબી કરવામાં એને હાથ છે. કોઈ કેઈ કર્મ આત્માના મૂળ ગુણે ઉપર તરાપ મારે છે. જેમકે “જ્ઞાનાવરણ કર્મ એ આત્માના વિશેષ બેધરૂપ ગુણને લગભગ સર્વીશે ઘાતક છે. એ એના જ્ઞાનના પ્રકાશના આવરણની ગરજ સારે છે. “દર્શનાવરણ” કર્મ આત્માના સામાન્ય બોધને ઘાતક છે. મેહનીય કર્મ આત્માને મેહમુગ્ધ બનાવે છે. એ એની સાચી શ્રદ્ધા ઉપર પાણી ફેરવે છે અને સવર્તન કરતાં એને અટકાવે છે. અંતરાય” કર્મ સંસારી આત્માનો દાન દેવામાં, લાભ મેળવવામાં, ભેગ અને ઉપગ ભેગવવામાં તેમ જ પિતાનું સામર્થ્ય પ્રગટ કરવામાં વિનરૂપ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy