SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા છતાં કટાઈ જવાથી મળી ગયેલી સે અને અગ્નિમાં તપાવી હથોડાથી ટીપી નાંખેલી સોયે. આ અનુક્રમે પૃષ્ટથી માંડીને નિકાચિત બના દષ્ટાન્તરૂપ છે. વિઆહપત્તિ (સ. ૧, ઉ. ૬, સુત્ત પ૫)માં બદ્ધ, સ્પષ્ટ, અવગાઢ અને સ્નેહપ્રતિબદ્ધને ઉલલેખ છેકમ્બખવાયમાં બદ્ધ, બદ્ધપૃષ્ટ અને બદ્ધ-સ્કૃષ્ટ–નિકાચિત એમ ત્રણ પ્રકારે સૂચવાયા છે. આ સંબંધમાં વિસેરાવસ્મયભાસન (ગા. ૨૫૧૩) અને એની મલધારી” હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૧૦૦૬) જેવાં ઘટે. પ્ર. ૯ઃ બધાંજ કર્મોનું સ્વરૂપ એકસરખું છે કે કર્મના જાતજાતના પ્રકારે અને ઉપપ્રકારે છે ? ઉત્તર : કર્મને બંધ થાય તે જ વેળા એના સ્વભાવે નક્કી થઈ જાય છે–એ જાતજાતને બને છે. એના પ્રભાવને લઈ એના અનેક પ્રકાર પડે છે. તેમાં એના આઠ પ્રકારે મુખ્ય ગણાય છે અને એ પ્રત્યેકના ઓછાવત્તા ઉપપ્રકારે પણ છે. ઉપર્યુક્ત આઠ પ્રકારો સામાન્ય રીતે નિમ્નલિખિત કેમે દર્શાવાય છે – (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અતરાય. ૧. જુઓ વ - વન (પૃ. ૧૧). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy