SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર જોતાં જણાય છે કે એલાચાર્યની કૃપાથી આચાર્ય વીરસેને શકસંવત્ ૭૩૮માં એટલે કે ઈ. સ. ૮૧૨માં આ પૂર્ણ કરી. આ પ્રશસ્તિમાં ટીકાનું નામ ધવલા અપાયું છે. વિશેષમાં આમાં ધવલાની પૂર્ણાહુતિના સમયને લગતી કેટલીક બાબતે અપાઈ છે કે જે ઉપરથી એની લગ્નકુંડળી ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૪૫)માં અપાઈ છે. ધવલાનું પરિમાણ બેરિ હજાર હેક જેવડું છે. વિસ વર્ષમાં જયધવલાના સાઠ હજાર લેક રચાયા છે એમ માનતાં દર વર્ષે ૩૦૦૦ કલાક જેટલી રચના સરેરાશ ગણાય. એ હિસાબે ધવલાને પ્રારંભ શકસંવત્ ૭૧૪માં થયે હશે એમ કહેવાય. ' નામની સકારણુતા –ધવલા નામ શાથી રખાયું એ બાબત વિવિધ અટકળો કરાય છેઃ (૧) એ ધવલ પક્ષમાં પૂર્ણ થઇ એથી એમ હોય. (૨) એ અમેઘવર્ષ પહેલાના કે જેને “અતિશય-ધવલા” એવી ઉપાધિ હતી તેના રાજ્યના પ્રારંભમાં સમાપ્ત થઈ એથી આ નામ જાયું હોય. (૩) ધવલા ટીકાને પ્રસાદ ગુણ જણાવવા આ નામ રખાયું હોય. આ ટીકાને લગભગ એક તૃતીયાંશ ભાગ પાઈયમાં–જઈણ સારણી (જૈન શૌરસેની )માં અને બાકીને ભાગ સંસ્કૃતમાં છે. આ સંપૂર્ણ ટીકા મળે છે અને મૂળ સહિત એ ક્રમશઃ પ્રકાશિત થાય છે. સાથે સાથે આ ટીકાને હિંદી અનુવાદ તેમ જ વિશિષ્ટ ટિપ્પણે, પરિશિષ્ટ અને સમુચિત પ્રસ્તાવના વડે આ સંપાદન વિભૂષિત બને છે. ધવલાના આધારે ગમ્મસારની રચના થઈ છે અને એ વિશેષ પ્રસિદ્ધિમાં આવતાં ધવલાને અભ્યાસ મંદ પડી ગયે હતો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy