SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૌઢ રાખ્યા ૨૬૭ મહાબંધને પ્રકૃતિ-બંધ પૂરતે વિભાગ હિંદી અનુવાદ ઇત્યાદિ સહિત ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૭માં પ્રસિદ્ધ થયેલ છે. આ ખંડને અંગે સ્વતંત્ર મંગલાચરણ નથી પરંતુ ચોથા ખંડના મંગલાચરણ સાથે અને સંબંધ સમજવાને છે. પહેલા પાંચ ખંડે મળીને જેટલું પરિમાણ થાય તેના કરતાં આ છઠ્ઠા ખંડ મહાબંધનું પરિમાણ લગભગ છ ગણું મોટું છે. આથી તે આ મહાબંધ ઉપર આચાર્ય વીરસેને કઈ ટકા રચી નથી. અત્યાર સુધીમાં મહાબંધની એક જ તાડપત્રીય પ્રતિ ઉપલબ્ધ થઈ છે. એ મૂડબિદ્રીમાં છે. એ “કાનડી” લિપિમાં લખાયેલી છે. એ લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. એના ઉપરથી અન્ય પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ નહિ તેનું ફળ એ આવ્યું છે કે લગભગ ત્રણ ચાર હજાર હેક જેટલું લખાણ ખવાઈ ગયું છે-નાશ પામ્યું છે. મહાબંધને પ્રારંભ સત્તાવીસમા પત્રથી થાય છે અને એની પૂર્ણાહુતિ ૨૧મા પત્રે થાય છે. વચમાં ચૌદ પત્રે નાશ પામ્યાં છે કે ૧. છ હજાર મલેક જેટલું ગણાય છે. ૨-૩. પહેલાં ૨૬ પત્રમાં “સતકર્મ-પંજિકા” છે. એ છખંડાગમના અન્ય વિષય પર પ્રકાશ પાડે છે. જુઓ મહાબંધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૨). ૪. જુઓ ઉપયુક્ત પ્રસ્તાવના પૃ. (૩૩). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy