SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે ઉદયના અને સત્તાના નિરૂપણ પ્રસંગે કરાવે છે એટલે જેને નિદેશ હેય તેનું સ્વરૂપ વિચારવું ઘટે. આથી સંક્રમ-કરણનું પ્રરૂપણ છે અને એને સાહચર્યથી અન્ય કરણેનું પ્રરૂપણ પણ સ્થાને છે. સંક્ષેપ અધિકારીને વિચાર કરતાં કર્મપ્રકૃતિ અને સપ્તતિકા એ બે ગ્રંથને પંચસાહમાં સંક્ષેપ કરાવે છે એમ જણાય છે. આ બે ગ્રંથો પૈકી એક તે શિવશર્મસૂરિએ રચેલી અને હરિભદ્રસૂરિએ કમ્મપડિસંગહણી તેમ જ કર્મપ્રકૃતિસંગ્રહણિકા તરીકે નિર્દેશેલી અને સમર્થનાર્થે ઉપગમાં લીધેલી કમ્મપડિ જ હોય એમ લાગે છે. આની સ્પષ્ટ સાબિતી માટે તે કમ્મપડિ અને અડીં આપે વા “કમં પ્રકૃતિ ” અધિકારનું ગાથાની સમાનતા, અર્થ–દષ્ટિએ સામ્ય એમ અનેક દષ્ટિએ સંતુલન થવું ઘટે. આ કાર્ય કેઈએ કર્યું હોય તેમ જાણવામાં નથી. હું પણ આ કાર્ય અત્યારે તે હાથ ધરી શકું તેમ નથી. દિક્યના નિઃસ્પન્દરૂપ જે સિત્તરિને ચર્ષિની કૃતિ માનવાની ભૂલ થવા પામી છે અને જે કૃતિને નિર્દેશજિનભદ્રગણિએ ક્ષમાશ્રમણે વિશેસણવઈમાં કર્યો છે એ સિત્તરિ (સપ્તતિકા) અત્રે પ્રસ્તુત હશે. આને અંતિમ નિર્ણય તે આ પ્રાચીન કૃતિની અહીં અપાયેલ “સપ્તતિકાર અધિકાર સાથે સરખામણી કરાયા બાદ આપી શકાય. આ સરખામણીનું કાર્ય કેઈએ ન કર્યું હેય તે તે કરવા જેવું છે. ૧. “ સ્વપજ્ઞ ” ટીકા ( પત્ર ૧૦૮ )માં “સત્તા ” માટે “સત-- કમેન' શબ્દ પ્રયોગ કરી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy