SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થ ૨૪૧ કર્તા મનાય છે. આ હિસાબે કમ પ્રકૃતિ, શતક અને સપ્તતિકા એક જ કર્તાની કૃતિ સિદ્ધ થાય છે પરંતુ કર્મપ્રકૃતિ અને સપ્તતિકા મેળવતાં એમ જેવાય છે કે સપ્તતિકામાં અનંતાનુબંધી ચતુષ્કને ઉપશામ–પ્રકૃતિ કહી છે તે કમપ્રકૃતિમાં “ઉપશમના”. અધિકારમાં “નંતા વા” એવો નિર્દેશ કરી આ ચતુષ્કની ઉપશમવિધિ અને અંતરકરણવિધિનો નિષેધ કરાયે છે. આ પ્રમાણે વિવેચન કરી ત્રણ પ્રશ્ન ઉઠાવાયા છે – ( ૧ ) શું શિવશર્મ નામના બે આચાર્ય થયા છે કે જેમાંના એક શતક અને સતતિકાના કર્તા છે અને બીજા આચાર્ય કર્યપ્રકૃતિના ? ( ૨ ) શિવશર્મા આચાર્યો કર્મપ્રકૃતિ રચી છે એ શું કેવળ કિવદંતી છે ? ( ૩ ) શતક અને સપ્તતિકાની કેટલીક ગાથામાં સમાનતા જોઈને એ બેના કર્તા એક છે એમ માનવું ક્યાં સુધી ઉચિત છે? ' આમ પ્રનો જ કરી એ સંભવ દર્શાવા છે કે આના સંકલનાકાર એક જ આચાર્યું હશે કિન્તુ એનું સંકલન બે ભિન્ન ભિન્ન ધારાઓને આધારે થયું હશે. ગમે તે હે અત્યારે તે સપ્તતિકાના કર્તા શિવશર્મસૂરિ જ છે એમ નિશ્ચયપૂર્વક કહેવું તે વિચારણીય છે (પૃ. ૧૧). દિગંબરીય પ્રાકૃત પંચસંગ્રહનું સંકલન વિક્રમની સાતમી સદીની આસપાસમાં થઈ ગયું હતું તે પૃ ૧૪) આમાં સપ્તતિકા સંકલિત છે એટલે પ્રસ્તુત (શ્વેતાંબરીય) સિત્તરિ ( સત્તરિયા)ની રચના એની પૂર્વે થઈ ગઈ હતી એમ નિશ્ચિત થાય છે (પૃ. ૧૪), ૧૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy