SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્ર શર્મસૂરિકૃત કમ્મપડિસંગહણી કે જેને સામાન્ય રીતે કમપડિ” તરીકે ઓળખાવાય છે એ આઠ કરણ માટેને આકરગ્રંથ છે. અને કઈ કઈ દિગંબર વિદ્વાન એને દિગંબરીય માનવા પ્રેરાય છે એ જોતાં એ જૈનેના તમામ ફિરકાઓને તત્વાર્થસૂત્રની જેમ આવકાર્ય છે. સંસ્કરણ-કમ્મપયડિસંગહણ એ પાઇય (પ્રાકૃત)ના એક પ્રકાર નામે જઈણ મરહદ્દી (જૈન મહારાષ્ટ્રી)માં ૧૪૭૫ ગાથામાં આર્યા” છંદમાં રચાયેલી છે. આ પૈકી સંક્રમ-કરણની ગા. ૧૦-૧૨ અને ઉપશમના-કરણની ગા. ૨૩-૨૪ કસાયપાહુડની અનુક્રમે ગા. ૨૭–૩૯ અને ગા. ૧૦૦ તથા ૧૦૩૧૦૫ સાથે મળતી આવે છે. પ્રસ્તુત કૃતિ પૃથક તેમ જ અન્યાન્ય વિવરણે પૈકી એક કે વધારે સહિત કેટલાંક વર્ષો પૂર્વે પ્રકાશિત કરાયેલી છે એટલું જ નહિ પણ આગમારક આનન્દસાગરસૂરિજીએ એને શિલારૂઢ પણ કરાવી છે એટલે આ મુદ્રિત સાધનાને અને એને અંગે ઉપલબ્ધ વિશિષ્ટ હાથપોથીઓને ઉપયોગ કરી એનું અદ્યનત સંસ્કરણ તૈયાર કરવું જોઈએ, એમ આ જ સાધનને આધારે પાઠાંતરો અપાય એ તે ૧. જિનરત્નકેશ (વિ. ૧, પૃ. ૭૫ માં ૪૧૫નો ઉલ્લેખ છે તે ભૂલભરેલો છે. આ પૃષ્ઠમાં ન્યાયાચાર્ય થશેવિજયગણિએ સંસ્કૃતમાં ૪૧૫ શ્લોકમાં કર્મ પ્રકૃતિ રચ્યાને અને એને પણ ટીકાથી વિભૂષિત કને ઉલ્લેખ છે. આની હાથથી મુંબઈના “અયલ” ગચ્છના અનંતનાથના મંદિરના ભંડારમાં હોવાનું કહ્યું છે તે આ બાબત યોગ્ય તપાસ થવી જોઈએ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy