SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રઢ શો ૧૮૫ વ્યાકરણથી પ્રશ્નવ્યાકરણ કે શબ્દપ્રાભૂત, કરણથી પિડવિશુદ્ધિ અને ભંગિકથી ચતુર્ભગિક વગેરે કે એને લગતું શ્રુત એ અર્થ કરી હરિભદ્રસૂરિએ “ક્રાતિ પ્રતી” એમ કહ્યું છે. આમ “કમ પ્રકૃતિ જાણતી છે” કહી એ કથન દ્વારા પ્રસ્તુત કમેડિ જ સૂચવાઈ હોય એમ લાગે છે. નદીની ચુર્ણ (પત્ર ૭)માં જે વ્યાખ્યા છે તેમાં કમ્મપડિ વિષે કશે વિશેષ ઉલેખ નથી. નદીની આ થેરાવલી એના ચૂર્ણિકારને મતે દુષ્યગણના શિષ્ય દેવવાચકની છે. આ દેવવાચક જૈન આગમને વીરસંવત્ ૯૮૦ કે ૯૩ માં પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણ ક્ષમાશ્રમણથી ભિન્ન છે (જો કે કેટલીક વાર એમના નામાંતર તરીકે “દેવદ્ધિ” નામ જોવાય છે) અને ક્ષમાશ્રમણના એઓ લગભગ સમકાલીન છે. આ દેવવાચકે પ્રસ્તુત કમ્મપડિને જ ઉલ્લેખ કર્યો હોય તે આ કૃતિ ઈ સના પાંચમા સિકા કરતાં વહેલી હેવાની વાતનું સમર્થન થાય છે એટલું જ નહિ પણ એથી એ એાછામાં એછી બે ત્રણ સૈકા જેટલી વિશેષ પ્રાચીન સિદ્ધ થાય તે ના નહિ. પ્રણેતાનું નામ –કપાડિન કર્તા શિવશર્મસૂરિ છે એ. વાત દેવેન્દ્રસૂરિએ છાસી નામના ચેથા કર્મગ્રંથ ( ગા. ૧૨)ની પજ્ઞ વૃત્તિમાં સ્પષ્ટપણે જણાવી છે એટલું જ નહિ પણ એની ૩૪૦મી ગાથાને અધ ભાગ અવતરણરૂપે પણ આપે છે. આ રેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગ સંચર્યા છે એટલે કમ્મપયડિના કર્તાનું નામ શિવશર્મસૂરિ છે એ બાબત લગભગ ૭૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન ઠરે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy