SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭ર કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે કમ્મપયદિ (ક્રમપ્રકૃતિ) – બીજા પુત્વ નામે અણિયા (અગ્રાયણીય)ના ચૌદ “વધુ' વસ્તુ)નામક વિભાગ પિકી પાંચમા વિભાગમાં જે વીસ પાહડ (પ્રાભૂત) છે તેમાંના ચોથા પાહુડનું નામ કમ્મપગડિ (કર્મ પ્રકૃતિ) છે. આમાંથી શિવશર્મસૂરિએ જે કૃતિ ઉદ્ધત કરી એનું નામ પણ “કમ્મપડિ' છે. એને હરિભદ્રસૂરિએ પણવણ (૫ય ૨૩)ની ટીકા નામે પ્રવેશવ્યાખ્યાના પત્ર ૧૪૦માં કમ્મપથડિસંગહણી કહી છે અને પત્ર ૧૨૯માં કર્મપ્રકૃતિસંગ્રહણિકા કહી છે. ઉત્તરઝયણના ૩૩માં અ ણુનું નામ કમ્મપડિ છે. એમાં આઠ કર્મનાં નામ, ભેદ, સ્થિતિ અને ફળનું વર્ણન છે. પણવણમાં ૩૬ પય (પદ) છે. એનાં નામ આ આગમમાં જે ગણવાયાં છે તેમાં ૨૩મા પયનું નામ કમ્મ છે. આને કર્મપ્રકૃતિ તરીકે ઓળખાવાય છે. આ પયમાં કર્મપ્રકૃતિના ભેદ, બંધ, ઉદય અને સ્થિતિનું નિરૂપણ છે. આઠે - કર્મના જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું સ્વરૂપ અહીં વિસ્તારથી અપાયું છે. કર્મોના બંધનું નિરૂપણ દંડકેના ક્રમે આના પછીના કમ્મબંધ' નામના પયમાં છે. એક કર્મપ્રકૃતિના બંધસમયે બીજાં કયાં ક્યાં કર્મો ઉદયમાં હોય એ બાબત દંડકના ક્રમે આની પછીના ૨૫મા કમ્પવેદ નામના પયમાં આલેખાઇ છે. એવી રીતે ર૬મા વયબંધ પયમાં કેઈ એક - કર્મપ્રકૃતિને ઉદય હોય ત્યારે બીજાં કયાં કયાં કર્મો બંધાય એ હકીકત દંડકના કમે સમજાવાઈ છે. ૨૭મા પયનું નામ વેયય છે. એમાં એક કર્મપ્રકૃતિના ઉદય-સમયે બીજા કયાં કયાં કર્મોને ન બંધ થાય એ વાત વિસ્તારથી દંડકના ક્રમથી વિચારાઇ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy