SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખંડ [ ૧૭ ] કર્મવિષયક ગ્રન્થનું નામ સામ્ય પુનરાવૃત્તિ– એક જ યુગમાં એક જ નામની અનેક વ્યક્તિઓ જેવાય છે તે પછી વિવિધ યુગોમાંના વિવિધ સંપ્રદાયના ગ્રન્થના નામમાં સમાનતા જણાય એમાં શી નવાઈ ? એક નામ લોકપ્રિય બને કે એ હદયંગમ જણાય એટલે એ નામને ઉપગ કરવા અન્ય પ્રેરાય. વળી એ નામને અમર બનાવવાની ભાવના સેવનાર પણ તેમ કરે. આમ નામની પુનરાવૃત્તિ પાછળ અનેક હેતુઓ કામ કરે છે. એમાંના કેઈક હેતુને લઈ જૈન સાહિત્યમાં કેટલીક કૃતિઓ સમાનનામક જોવાય છે. આ લેખમાં તે કર્મસિદ્ધાન્તના નિરૂપણ અર્થે જાયેલી કૃતિઓને જ હું વિચાર કરવા ઇચ્છું છું. ( કમ્મપવાય–કૃતિનું નામ પાડનાર એ કૃતિગત વિષયનું ઘાતક નામ પાડે એ સ્વાભાવિક છે. આથી કર્મસિદ્ધાન્તને લગતા એક પુત્વનું–ચૌદ પુષ્યમાંથી આઠમાનું નામ કમ્બખવાય (કર્મપ્રવાદ) છે એ બાબત સહજ છે એમ કહી શકીએ. આ પુષ્ય વિષે વિસાવસ્મયભાસ (ગા. ૨૫૧૩)માં ઉલેખ છે. છખંડાગામ (લા, ૧)ની પ્રસ્તાવના પૃ. ૬૩)માં સૂચવાયું છે કે ધવલામાં કર્મપ્રવાદને ઉલેખ છે. આ ગ્રન્થ તે કર્યો? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy