SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૩૭ અને પર્યવજ્ઞાનાવરણથી અધિક, શ્રતજ્ઞાનાવરણને એથી પણ અધિક અને મતિજ્ઞાનાવરણને એનાથી પણ અધિક છે. દર્શનાવરણ–પ્રચલાને સૌથી ઓછે, નિદ્રાને એથી અધિક, પ્રચલા પ્રચલા, નિદ્રાનિદ્રા અને ત્યાદ્ધિને અનુક્રમે એકેકથી અધિક, કેવલદર્શનાવરણને એથી પણ અધિક, અવધિદર્શનાવરણને એથી અધિક, અચક્ષુદર્શનાવરણને એથી વિશેષ અને ચક્ષુદર્શનાવરણને એથી પણ વિશેષ છે. વેદનીય- અસાતવેદનીયનું દ્રવ્ય સૌથી ઓછું અને સાતવિદનીયનું એથી અધિક હોય છે. મેહનીય– અપ્રત્યાખ્યાનાવરણ માન, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લેભ, પ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા અને લેભ એ ચારનું તેમ જ અનંતાનુબંધી માન, ક્રોધ, માયા અને લેભ એ ચારનું દ્રવ્ય એકકથી અધિક અધિક હોય છે. અનંતાનુબંધી લેભ કરતાં મિથ્યાત્વનું અધિક હિોય છે. એનાથી જુગુપ્સાનું દ્રવ્ય અનંતગણું હોય છે. એનાથી ભયનું અધિક, ભયથી હાસ્ય અને શેકનું અધિક પરંતુ પરસ્પર તુ, એનાથી રતિ અને અરતિનું અધિક પરંતુ પરસ્પર તુલ્ય, એનાથી સ્ત્રીવેદ અને નપુંસક–વેદનું અધિક પરંતુ પરસ્પર તુલ્ય, એનાથી સંજવલન ક્રોધ, સંલન માન, પુરુષ–વેદ અને સંજ્વલન માયાનું ઉત્તરોત્તર અધિક અને સંજ્વલન લેભાનું એનાથી અસખ્યાતગણું હોય છે. આયુષ્કર્મ કર્મ– ચારે ઉત્તર-પ્રકૃતિને ભાગ સરખે છે કેમકે એકીવખતે એક જ બંધાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy