SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૩૫ ( ૧ ) વેદ, ( ર ) રતિ અને અને અરતિમાંથી જે પ્રકૃતિ બંધાતી હોય તે એક, (૩) હાસ્ય અને શેક પૈકી જે પ્રકૃતિ બંધાતી હોય તે, ( ૪ ) ભય અને (૫) જુગુપ્સા. જે મનુષ્ય કે તિર્યંચ મિથ્યાદિષ્ટ હોય તે એકીસાથે નામ કમની નીચે મુજબની ર૩ પ્રકૃતિએ બાંધે છે : ( ૧ ) નિર્માણ, ( ૨ ) અયશકીર્તિ, (૩) અનાદેય, (૪) દુર્લંગ, ( ૫ ) અશુભ, (૬) અસ્થિર, (૭) સાધારણ, ( ૮ ) અપર્યાપ્ત, (૯) સૂક્ષ્મ, (૧૦) સ્થાવર, (૧૧) ઉપઘાત, ( ૧૨ ) અગુરુલઘુ, ( ૧૩ ) તિર્યંચાનુપૂર્વી, ( ૧૪ ) સ્પર્શ, ( ૧૫ ) રસ, ( ૧૬ ) ગધ, (૧૭) વર્ણ, (૧૮) હુંડક સંસ્થાન, ( ૧૯-૨૧ ) દારિક, તેજસ અને કાર્મણ શરીર, ( ૨૨ ) એકેન્દ્રિય-જાતિ અને (૨૩) તિર્યંચગતિ. પ્રથમ વહેંચણી કરતી વેળા ત્રણ શરીરે એ પિડપ્રકૃતિના અવાંતર પ્રકાર હોવાથી એને ત્રણ જુદા જુદા ભાગીદારે ન ગણતાં એક જ ગણાય છે. વહેંચણીની વ્યવસ્થા ઉપર મુજબ છે અને એકવીસ ભાગીદારોને ક્રમ પણ ઉપર પ્રમાણે છે. જે પિંડ-પ્રકૃતિઓ છે તેને મળેલે હિસે એની અવાન્તર પ્રકૃતિએને ફાળે જાય છે. તેમાં ત્રણ શરીરને અંગેની પ્રકૃતિને ક્રમ કામણ, તેજસ અને ઔદારિક એમ છે. જ્યાં પિંડ-પ્રકૃતિમાંની અવાંતર પ્રવૃતિઓમાંથી એકનો જ બંધ થાય છે ત્યાં એ સમગ્ર દ્રવ્ય એ એક જ પ્રકૃતિને મળે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy