SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય, તે મારા ગુજરાતી લખાણને હિન્દી અનુવાદ છે. એમાં પૃ. ૧૬૫-૬માં જીવસમાસ વિષે નિરૂપણ છે જ્યારે પૃ. ૨૭-૧૦ માં છખંડાગમ અને કસાયપાહુડ તેમ જ એનાં વિવરણે વિષે ડો. મોહનલાલ મહેતાનું લખાયું છે. આ પ્રમાણે આ પુસ્તકના મુખ્ય બે વર્ગોને અને અન્ય રીતે વિચારતાં એના ત્રણ ખંડે પૈકી આદ્ય બેને સંક્ષિપ્ત પરિચય પૂરા થાય છે એટલે તૃતીય ખંડને આપણે વિચાર કરીશું. મતભેદ એ જાગૃતિ અને પ્રગતિનું એક મહત્ત્વનું અંગ છે. આમ હે કર્મસિદ્ધાન્તના સમર્થ નિરૂપકોમાં આ સિદ્ધાન્તની ગહનતા અને સંપ્રદાયભેદને લઈને કોઈ કઈ બાબતમાં એકવાક્યતા જણાતી નથી એ સ્વાભાવિક છે. એની ખપપૂરતી નધિ મેં તુતીય ખંડની પ્રથમ કૃતિ (પૃ ૨૮૫-૨૮૮)માં અને પ્રસંગોપાત પૃ. ૨૦૧, ૨૧૩, ૨૧૭, ૨૨૦, ૨૨, ૨૩૨, ૨૩૯, ૨૪ અને ૨૫૯માં લીધી છે. આમ કરવાને માટે મુખ્ય ઉદ્દેશ આ સંબંધમાં સમુચિત અને સંપૂર્ણ સમન્વય વિશેષ સ ધે એ છે. આશા છે કે તેઓ તેમ કરી મારા જેવાને ઉપકૃત કરશે. આ તૃતીય ખંડની બીજી કૃતિને સ્થાન આપવાને મુખ્ય હેતુ અસયગની ચુરિણગત અવતરણનાં મૂળ શેવાય અને તેમ થતાં એના રચના સમય ઉપર થોડેક પણ પ્રકાશ પડે. ૧. આમાંનું “યોગ મધ્યામ”ને લગતું મારું ગુજરાતી લખાણ સને ૧૯૬૭માં અને બાકીનું તમામ લખાણ સને ૧૯૫૮-૫૯માં મેં તૈયાર કર્યું હતું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy