________________
અધ્યાત્મસાર
[૭૨] માત્માથના તતન્યો ચંડનથનિવંધનમ્ |
शुद्धिः स्यादृजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥१९॥ અનુવાદ : તેથી આત્માર્થીએ અનર્થના કારણરૂપ એવા દંભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે ઋજુભૂત-(સરળ માણસ)ની જ શુદ્ધિ થાય છે એવું આગમમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ હવે આત્માર્થી જીવોને ભલામણ કરતાં કહે છે કે તેઓએ દંભનો ત્યાગ કરવો જોઈએ. જેઓ સાચા અર્થમાં આત્માર્થી છે તેઓ આત્માની ઉત્તરોત્તર શુદ્ધિ જ ઇચ્છે છે કે જેથી મોક્ષપ્રાપ્તિ ત્વરિત અને સુગમ બને. દંભ અથવા માયાચાર અનેક પ્રકારના અનર્થો જન્માવે છે. દંભથી ભારે કર્મો બંધાય છે કે જેમાંથી છૂટવાનું સરળ નથી. ક્યારેક માયાકપથી એવાં ઘોર પાપકર્મો બંધાઈ જાય છે કે જેથી જીવને નરકગતિનાં દુઃખો વેઠવાનો વખત આવે છે.
જ્યાં દંભ હોય ત્યાં ઋજુતા એટલે કે સરળતા ન હોય અને જ્યાં સરળતા હોય ત્યાં દંભ ન હોય. દંભ અને સરળતા પરસ્પર વિરુદ્ધ છે. દંભથી આત્મા મલિન થાય છે. સરળતાથી આત્મા શુદ્ધ રહે છે. એટલે જ સરળ જીવોની સુગતિ, મુક્તિ જલદી થાય છે. આવું પ્રતિપાદન આગમોમાં, શાસ્ત્રગ્રંથોમાં થયેલું છે. [૭૩] નિર્વાનુમત્તે વિિિન્નષિદ્ધ વી ન સર્વથા |
कार्ये भाव्यमदंभेनेत्येषाज्ञा पारमेश्वरी ॥२०॥ અનુવાદ : જિનેશ્વરોએ એકાંતે કોઈ આજ્ઞા કરી નથી, તેમ સર્વથા કોઈ નિષેધ નથી કર્યો, પરંતુ કાર્ય વિશે દંભરહિત થવું એવી પરમેશ્વરની આજ્ઞા છે.
વિશેષાર્થ : અહિંસાદિ વ્રતોનું પાલન, મુનિચર્યા, ગૃહસ્થનાં વ્રતો ઇત્યાદિ વિવિધ વિષયોમાં વ્યવહારનય અને નિશ્ચયનયથી જુદી જુદી રીતે વિચારણા થઈ શકે. વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ વિચારણા કરવી આવશ્યક છે. આથી તીર્થંકર પરમાત્માએ અમુક વસ્તુ અમુક રીતે જ કરો, એવું એકાન્તિક પ્રતિપાદન કર્યું નથી. તેવી જ રીતે અમુક પ્રકારની ધર્મક્રિયા કરો જ નહિ એવું સર્વથા નિષિદ્ધ ક્યું નથી. જિનેશ્વર ભગવાને તો અનેકાન્તવાદની દૃષ્ટિ આપી છે. પરંતુ તીર્થંકર પરમાત્માની એવી આજ્ઞા તો અવશ્ય છે જ કે જે કંઈ કરો તે દંભરહિત થઈને કરો. એનો અર્થ એ થયો કે દંભ સાથે ધર્મક્રિયા કરનારા કે જીવનમાં કોઈ પણ પ્રકારનું મનફાવતું આચરણ કરનારા ભગવાનની આજ્ઞાના ઉત્થાપક ગણાય. [૭૪] અધ્યાત્મરચિત્તાનાં રંગ: સ્વલ્પોfપ નોતિઃ |
छिद्रलेशोऽपि पोतस्य सिंधुं लंघयतामिव ॥२१॥ અનુવાદ : જેમનું ચિત્ત અધ્યાત્મમાં જ લાગેલું છે તેઓએ જરા સરખો પણ દંભ કરવો ઉચિત નથી. વહાણમાં નાનું સરખું છિદ્ર હોય તો તે સમુદ્રને ન ઓળંગી શકે.
૩૬ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org