________________
અધ્યાત્મસાર
ભાવો છે. પરીષહજય કે ચારિત્રમાં કથંચિત્ બાહ્ય ક્રિયા જણાતી હોવા છતાં તે કાળમાં આત્મામાં વર્તતા ભાવને જ ભાવસંવર કહેવામાં આવે છે.
[૮૧૧] શ્રવ: સંવ ન થાત્ સંવરશ્રવ: gવત્
भवमोक्षफलाभेदोऽन्यथा स्याद्धेतुसंकरात् ॥१३४॥ અનુવાદ : આશ્રવ ક્યારેય સંવર થતા નથી અને સંવર ક્યારેય આશ્રવ થતા નથી. એમ ન હોય તો ભવ (સંસાર) અને મોક્ષરૂપ ફળનો, હેતુના મિશ્રણને કારણે, અભેદ થઈ જાય.
વિશેષાર્થ : નિશ્ચયનયથી જોઈએ તો વિશુદ્ધ એવો આત્મા આશ્રવરૂપ નથી અને સંવરરૂપ પણ નથી. આશ્રવ બંધનો હેતુ બને છે અને સંવર મોક્ષનો હેતુ બને છે. .
જો કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાની કે તેને અટકાવવાની વાત હોય તો એ બંનેને જુદા માનવાની જરૂર શી ? અંતે તો કર્મપુદગલોની જ વાત છે ને ? પરંતુ ના, એમ નથી. એ બંનેને જુદા પાડવાની આવશ્યકતા છે જ, કારણ કે ગ્રહણ કરવાની અને નિરોધ કરવાની બંને પ્રક્રિયા ભિન્નભિન્ન છે અને બંનેનું ફળ પણ ભિન્નભિન્ન છે. વસ્તુતઃ આશ્રવ અને સંવર બંને પરસ્પર વિરુદ્ધ છે. આશ્રવનું ફળ બંધ અથવા સંસાર છે અને સંવરનું ફળ મોક્ષ છે. હવે જો આશ્રવ અને સંવરને એકરૂપ માનીએ તો બંનેના હેતુની ભેળસેળ થઈ જશે. આશ્રવ મોક્ષનો હેતુ થઈ જાય અને સંવર સંસારનો હેતુ થઈ જાય. આશ્રવ-સંવરનો જ અભેદ થઈ જાય તો સંસાર અને મોક્ષ વચ્ચે પણ અભેદ થઈ જાય. પરંતુ એ આપણને સ્વીકાર્ય નથી. એટલે આશ્રવ અને સંવરને ભિન્નભિન્ન જ માનવા રહ્યા. આશ્રવ ક્યારેય સંવર ન થાય અને સંવર ક્યારેય આશ્રવ ન થાય.
[૮૧૨] શ્રવં સંવૃવત્રીત્યા મિર્ચિના:
करोति न परापेक्षामलंभूष्णुः स्वतः सदा ॥१३५॥ અનુવાદ : આત્મા પોતાના ભિન્ન આશયો(અધ્યવસાયો)થી કર્મને આશ્રવતાં અને સંવરતાં પરની અપેક્ષા રાખતો નથી. તે સદા સ્વતઃ સમર્થ (અલંભૂષ્ણુ) છે.
વિશેષાર્થ : આત્મા પોતે આશ્રવરૂપ કે સંવરરૂપ નથી, પણ આશ્રવ અને સંવરની ક્રિયા તો થાય છે. આઠ રુચક પ્રદેશો સિવાયના આત્મપ્રદેશોમાં કર્મપુદ્ગલો તાણાવાણાની જેમ ચોટે છે. તો આ ક્રિયા કેવી રીતે થાય છે ? અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા પોતાના શુભાશુભ અધ્યવસાયો વડે આશ્રવ કે સંવરને અનુકૂળ સ્થિતિ સર્જે છે. આશ્રય માટેના આત્માના આશયમાં અને સંવર માટેના આશયમાં ભિન્નતા છે. વળી ભિન્નભિન્ન સમયે આત્મા જે અધ્યવસાયો કરે છે તેમાં પણ ભિન્નતા રહેલી છે. એટલે આત્મા પોતાના જ શુભાશુભ ભાવથી કે આશયથી આશ્રવ કે સંવરની સ્થિતિ ઉત્પન્ન કરે છે. એમ કરવામાં આત્મા પોતે જ સમર્થ સ્વભાવવાળો છે. એ માટે એને બીજા કોઈ પરદ્રવ્યની અપેક્ષા રહેતી નથી કે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી.
૪૬૨ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org