________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો ઃ આત્મનિશ્ચય અધિકાર
વિશેષાર્થ : સ્નેહ શબ્દના બે અર્થ થાય છે : (૧) રાગ અને (૨) તેલ. અહીં કર્મબંધની પ્રક્રિયા ઉદાહરણથી સમજાવવામાં આવી છે. માણસે તેલથી શરીરે અભંગ અર્થાત્ મર્દન કરાવ્યું હોય તો તેના શરીરે ઝીણી રેણુ અથવા રજકણ ચોંટી જાય છે. માણસ રજકણ ચોંટાડતો નથી, પણ તેલનો સ્વભાવ એવો ચીકણો છે કે રજકણ ચોંટ્યા વગર રહે નહિ. તેવી રીતે રાગ અને દ્વેષથી અનુવિદ્ધ અર્થાત્ વ્યાપ્ત થયેલા જીવને કર્મપુદ્ગલો ચોટે છે એટલે કે તેને કર્મબંધ થાય છે. જેમ રજ શરીર સાથે એકરૂપ બની જતી નથી. તેને સાફ કરી શકાય છે, તેમ કર્મપુદ્ગલો આત્મા સાથે એકરૂપ થઈ જતાં નથી. તેમાંથી જીવ મુક્ત બની શકે છે. [૭] નોÉ વયિયાતિ પ્રામપત્નનિથી.
यथा कर्म तथा चित्रं रक्तद्विष्टात्मसंनिधौ ॥११३॥ અનુવાદ : જેમ લોઢું પોતાના વ્યાપારથી ભ્રામક (ચુંબક ચમક) પાષાણ ઉપલ)ની પાસે આવે છે, તેમ વિચિત્ર પ્રકારનાં કર્મ રાગ અને દ્વેષથી આત્માની પાસે આવે છે.
વિશેષાર્થ ? આત્મા પોતે વિશુદ્ધ છે. તે પોતે દ્રવ્યકર્મ બાંધતો નથી. પરંતુ એનામાં રાગદ્વેષની પરિણતિ થતાં ભાવકર્મ બંધાય છે. એ વખતે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ ખેંચાઈ આવીને આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે. એટલે કે દ્રવ્યકર્મ બંધાય છે. આ સમજાવવા માટે આગળના શ્લોકમાં શરીર પર કરેલા તેલમર્દનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અહીં ચમકપાષાણનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ચમકપાષાણ (લોહચુંબક–Magnet) પાસે લોઢું પોતે ખેંચાઈને આવે છે. લોહચુંબક લોઢાને આકર્ષવા નથી જતું. તેવી રીતે આત્મામાં રાગદ્વેષનાં પરિણામ થાય ત્યારે કર્મનાં દળિયાં અર્થાત્ કર્મનાં રજકણો જે પોતે જડ છે તે ખેંચાઈને આવે છે અને આત્મામાં ચોંટી જાય છે. આ રીતે દ્રવ્યકર્મ બંધાય છે. [૭૯૧] માત્મા વ્યાવૃતિતંત્ર રાષાશર્થ મૃગન્ |
तन्निमित्तोपनमेषु कर्मोपादानकर्मसु ॥११४॥ અનુવાદ : ત્યાં (કર્મના વિષયમાં) રાગદ્વેષના આશયને ઉત્પન્ન કરતો આત્મા તેના (રાગદ્વેષના) નિમિત્તથી ઉત્પન્ન એવાં કર્મ જેમાં ઉપાદાન છે તેવા કર્મોમાં વ્યાપરવાળો થતો નથી.
| વિશેષાર્થ : અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા રાગદ્વેષના આશયને જ ઉત્પન્ન કરે છે. એટલે કે આત્મા માત્ર ભાવકર્મનો કર્તા છે. એ ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મ ખેંચાઈને આવે છે, પરંતુ એ કર્મપુદ્ગલોને આકર્ષવાનો વ્યાપાર આત્મા કરતો નથી.
આત્મામાં જે દ્રવ્યકર્મો ખેંચાઈને આવે છે એ “કર્મોનું ઉપાદાન ભાવકર્મ' છે એમ અહીં કહ્યું છે. અહીં કર્મ એટલે ભાવકર્મ અથવા મન, વચન અને કાયાના યોગ. એ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મપુદ્ગલો ગ્રહણ થયા કરે છે. પરંતુ એ ગ્રહણ કરવાનો વ્યાપાર વિશુદ્ધ આત્મા પોતે કરતો નથી.
વળી, કર્મ એટલે પૂર્વનું કર્મ એવો અર્થ પણ ઘટાવાય છે. વર્તમાન કર્મનું ઉપાદાન કારણ પૂર્વનું કર્મ છે અને આ રીતે મુક્તિ સુધી કર્મની પરંપરા ચાલ્યા કરે છે.
૪૫૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org