SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર છે એટલે કે સાજાત્ય અથવા સજાતીયતા હોય છે. એક દ્રવ્યની સંતતિમાં ભૂતિરૂપ અર્થાત્ હોવારૂપ કે થવારૂપ જે ક્રિયા હોય છે તે પરદ્રવ્યના ગુણોમાં સંભવી શકે નહિ, કારણ કે બંને વચ્ચે સાજાત્ય નથી. આત્માનું સાજાત્ય પુદ્ગલમાં હોઈ શકે નહિ. એટલે પરદ્રવ્યના પર્યાયોનું કર્તુત્વ આત્માનું હોઈ શકે નહિ. [૭૭૭] નવૅવચમાવીનાં ન ઋર્તા પર ના तदा हिंसादयादान-हरणाद्यव्यवस्थितिः ॥१०॥ અનુવાદ : ખરેખર જો આ રીતે અન્ય ભાવોનો કર્તા બીજો કોઈ ન હોય તો હિંસા, દયા, દાન, હરણ વગેરેની અવ્યવસ્થા થશે. વિશેષાર્થ : નિશ્ચયનય પ્રમાણે આત્મા માત્ર સ્વભાવનો જ કર્તા છે. આત્મા પોતાનાથી ભિન્ન એવા અન્ય પદાર્થોનો કે ભાવોનો કર્તા નથી. પરંતુ વ્યવહારનય કહે છે કે જો આત્માને પુદ્ગલ વિશેના ભાવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ ક્રિયા ન હોય તો લોકોમાં અવ્યવસ્થા થઈ જશે. લોકોમાં આપણે જોઈએ છીએ કે જીવનો વધ કરવારૂપી ક્રિયા કોઈ માણસ કરે છે, કોઈ બીજા ઉપર દયા કરે છે અને એનો જીવ બચાવી લે છે, કોઈ ગરીબને અન્ન, વસ્ત્ર, ઔષધાદિનું દાન આપે છે, કોઈ બીજાના ધન વગેરેની ચોરી કરી લે છે. આવા પ્રકારની અનેક ઘટનાઓ બને છે. હવે તે કરનાર માણસ જો એમ કહે કે “મેં આવું કાંઈ કર્યું નથી, કારણ કે મારા આત્માને આવી પરભાવની કોઈ ક્રિયાનું કર્તાપણું લાગી શકે નહિ.” તો સમાજમાં કોઈ વ્યવસ્થા જ ન રહે. પછી સમાજમાં આ દાતા છે, આ દયાળુ છે, આ ચોર છે, આ ન્યાયધીશ છે–એવી કોઈ વ્યવસ્થા પણ રહેશે નહિ. વળી માણસનાં શુભાશુભ કાર્યો માટે ફળરૂપે સુગતિ કે દુર્ગતિ સાંપડે છે એવું પણ પછી નહિ કહી શકાય. વ્યવહારનયના આ પ્રશ્ન વિશે હવે પછીના શ્લોકમાં ખુલાસો આપવામાં આવ્યો છે. [७७८] सत्यं पराश्रयं न स्यात् फलं कस्यापि यद्यपि। तथापि स्वगतं कर्म स्वफलं नातिवर्तते ॥१०१॥ અનુવાદ : એ સાચું છે; જો કે પરના આશ્રયવાળું ફળ કોઈને થતું નથી, તો પણ પોતાનામાં રહેલું કર્મ પોતાના ફળનું ઉલ્લંઘન કરતું નથી. વિશેષાર્થ : વ્યવહારનયે જે આપત્તિ બતાવી છે તે સ્વીકારતાં નિશ્ચયનય કહે છે કે “હા એ વાત સાચી છે કે આત્માને અન્ય ભાવોનો કર્તા ન માનીએ તો હિંસા–હિંસકપણું ઇત્યાદિની વ્યવસ્થા ઘટે નહિ અને હિંસાદિના ફળની પ્રાપ્તિ હિંસકને થાય નહિ.' પરંતુ સૂક્ષ્મ રીતે વિચારીએ તો હિંસકને હિંસાના ફળની પ્રાપ્તિ થાય જ છે. જ્યારે કોઈ માણસ જીવની હિંસા કરે છે ત્યારે જેની હિંસા થઈ છે તે વ્યક્તિના નિમિત્તે હિંસકના પોતાના આત્મામાં હિંસાના ભાવની કોઈક ક્રિયા થાય છે. એ પરિણામથી જે કર્મ બંધાય છે તે હિંસકને ફળ અવશ્ય આપે જ છે. એટલે ફળનું ઉલ્લંઘન થતું નથી. એટલે વ્યવહારથી ૪૪૫ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy