SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ઋજુસૂત્રનયની જુદી જુદી વ્યાખ્યા આપવામાં આવે છે. ઋજુ એટલે અવક્ર અથવા સરળ અને સૂત્ર એટલે દોરો. ઋજુસૂત્રનય એટલે જે નય વસ્તુને સરળ રીતે સૂત્રમાં પરોવે તે. | ઋજુસૂત્રનય મુખ્યત્વે વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે. પરંતુ વર્તમાન પર્યાય એક “સમયની હોય છે. એ “સમય”ની પહેલાંનો ‘સમય’ તે ભૂતકાળ છે અને પછીનો ‘સમય’ ભવિષ્યકાળ છે. આ નય કહે છે કે અતીત અથવા ભૂતકાળ નષ્ટ થઈ ગયો છે અને અનાગત અથવા ભવિષ્યકાળ હજુ અનુત્પન્ન છે. એટલે એ બંનેમાં વિષયનો વ્યવહાર થઈ શકતો નથી. બીજી બાજુ વર્તમાન સમય’ ક્ષણમાત્રમાં નાશ પામે છે. એટલે વર્તમાન સમયની પર્યાય અપ્રુવ અથવા ક્ષણધ્વસી છે. છદ્મસ્થો એ ગ્રહણ કરી શકતા નથી. એટલે ઋજુસૂત્રનય એક સ્થિતિના પર્યાયના સમુદાયને પણ માન્ય રાખે છે. એટલે ઋજુસૂત્ર નયના બે પ્રકાર થાય છે. નિશ્ચયથી એક જ સમયની પર્યાયને જે ગ્રહણ કરે તે સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને વ્યવહારથી પર્યાયના અમુક સમુદાયને ગ્રહણ કરે તે સ્થૂલ ઋજુસૂત્રનય. વ્યવહારથી વર્તમાનકાળના સંદર્ભમાં આજનો દિવસ, આ ચાલુ માસ, આ ચાલુ વર્ષ, વર્તમાન ચોવીસી, વર્તમાન અવસર્પિણી, દેવપર્યાય, મનુષ્યપર્યાય વગેરેને ઋજુસૂત્રનય સ્થૂલ રીતે પર્યાય તરીકે ગ્રહણ કરે છે. ' શબ્દનય એનું નામ સૂચવે છે તે પ્રમાણે યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકે છે. યોગ્ય સમયે વસ્તુસ્થિતિને યોગ્ય રીતે રજૂ કરવા માટે શબ્દની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ. એટલે જ શબ્દનયમાં વ્યાકરણ અને શબ્દકોશ બંને આવી જાય. શબ્દનાં જાતિ, વચન, કાળ, કારક (વિભક્તિ) અનુસાર એનો ભિન્નભિન્ન ઉપયોગ થવો જોઈએ. ઉદાહરણ તરીકે “પુરુષ' માટે “સ્ત્રી' શબ્દ ન પ્રયોજી શકાય. પુત્રને પુત્રી તરીકે ન ઓળખાવાય. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન, ભાઈ-ભાભી, કાકા-કાકી, મામા-મામી, પોપટ-મેના, ચકલો-ચકલી ઇત્યાદિ શબ્દોમાં લિંગ, સંબંધ વગેરે અનુસાર વ્યવહાર થવો જોઈએ. તેવી જ રીતે પ્રસંગાનુસાર વ્યક્તિ', “માણસો' વગેરે શબ્દો પ્રયોજી શકાય. જયાં એક શબ્દને બદલે બીજો શબ્દ પ્રયોજી શકાય એમ હોય તો તેવા એકાર્યવાચી પર્યાયવાચક શબ્દોને આ શબ્દનય સ્વીકારે છે. દીકરો' અને “પુત્ર સમાનાર્થી શબ્દો છે. “રવિ’, ‘સૂર્ય’, ‘ભાનું વગેરે શબ્દો એકબીજાના પર્યાય તરીકે પ્રયોજી શકાય છે. સમભિરૂઢનય શબ્દનય કરતાં સૂક્ષ્મતાથી વિચારે છે. તે વ્યુત્પત્તિભેદે અથવા શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય લિંગભેદ, સંખ્યાભેદ, વચનભેદ, કાળભેદ ઇત્યાદિ અનુસાર અર્થભેદ થતો હોય તો તે સ્વીકારે છે, પરંતુ બીજી બાજુ ઇન્દ્ર, શક્ર, પુરંદર, શચીપતિ જેવા એકાર્યવાચી શબ્દોને પણ તે સ્વીકારે છે. પરંતુ સમભિરૂઢનય પ્રમાણે કોઈપણ શબ્દ પર્યાયવાચી નથી. જગતમાં જેટલા શબ્દ છે તેટલા અર્થ છે. શબ્દમાં ભેદ હોય તો અર્થમાં ભેદ હોવો જોઈએ. કુંભ, કળશ અને ઘટ એ ત્રણે શબ્દોને એકાર્યવાચી શબ્દ તરીકે શબ્દનય સ્વીકારે છે, પરંતુ સમભિરૂઢનય કહે છે કે તે દરેક શબ્દનો શ્રુત્પિત્તિની દૃષ્ટિએ જુદો જુદો અર્થ હોવો જોઈએ. અર્થની ભિન્નતાથી પદાર્થની ભિન્નતા હોવી જોઈએ. એટલે જેટલી શબ્દની ભિન્નતા તેટલી પદાર્થની ભિન્નતા હોવી જોઈએ. આમ સમભિરૂઢનય શબ્દની વ્યુત્પત્તિ ઉપર ભાર મૂકે છે. એવંભૂતનયનો શબ્દાર્થ છે : “એવમ્' એટલે “આ પ્રમાણે” અને “ભૂત” એટલે “થયું'. આ નય જે કાળે જે ક્રિયા થઈ રહી હોય તે ક્રિયાને માટે યોગ્ય વિશેષણ પ્રયોજે છે અથવા એવા નામનો વ્યવહાર કરે છે. એવંભૂતનય વ્યુત્પત્તિસિદ્ધ અર્થને માન્ય રાખે છે. ઉદાહરણ તરીકે “રાજા” તેને કહેવાય કે જયારે ૪૩૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy