________________
અધ્યાત્મસાર
[૫૨] અર્થવ્યંનનયોગાનાં વિચારોક્યોન્યસંક્ર્મ: ।
पृथक्त्वं द्रव्यपर्याय गुणान्तरगतिः पुनः ॥७५॥
અનુવાદ : અર્થ (પદાર્થ), વ્યંજન (શબ્દ) અને યોગો (મન, વચન, કાયાના)નો અન્યોન્ય સંક્રમ તે વિચાર, તથા દ્રવ્ય, ગુણ અને પર્યાયની અંતરગતિ (સંક્રમ) તે પૃથ.
[૬૫૩] ત્રિયો યોશિન: સાોવિતાન્વિત ઘ: ।
ईषच्चलतरंगाब्धेः क्षोभाभावदशानिभम् ॥७६॥
અનુવાદ : ત્રણ યોગના યોગવાળા સાધુને વિતર્કાદિથી યુક્ત આ (પહેલા પ્રકારનું શુકલધ્યાન) કંઈક ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષોભરહિત દશા જેવું હોય છે.
વિશેષાર્થ : પૂર્વના બે શ્લોકમાં પૃથ, વિતર્ક, સવિચાર નામના પ્રથમ પ્રકારના શુકલધ્યાનનાં લક્ષણો દર્શાવ્યા પછી અહીં એવા ધ્યાનને સમજવા માટે યોગ્ય ઉપમા આપવામાં આવી છે.
પહેલું તો એ કે આ ધ્યાન સાતમા અપ્રમત્ત ગુણસ્થાન કે તેથી ઉપ૨ ગયેલા મુનિઓને જ હોઈ શકે. ગૃહસ્થોની—દેશવિરતિ શ્રાવકોની આ ધ્યાન માટે યોગ્યતા નથી. આવા મુનિ, મન, વચન અને કાયાના યોગવાળા હોય છે અને તેમનું ધ્યાન વિતર્કયુક્ત હોય છે. એટલે આવું ધ્યાન ધીરગંભીર વિશાળ સમુદ્ર જેવું હોય છે. સમુદ્રમાં પણ, મોટી ભરતીવાળા ઘૂઘવતા સમુદ્ર જેવું નહિ પણ યત્કિંચિત્ કંપવાળા, ચંચલતાવાળા, નાનાં નાનાં મોજાંની ધીમી ધીમી લહેરવાળા સમુદ્ર જેવું આ ધ્યાન હોય છે. એનો અર્થ એ કે આ ધ્યાન ધરનારને ધ્યાનમાં વિશાળતા, ગહનતા અને અદ્ભુત શાન્તિનો છતાં થોડાંક સ્પંદનોનો અનુભવ થાય છે.
[૬૫૪] ડ્વેન વિતòળ વિદ્યારેળ = સંયુતમ્ ।
निर्वातस्थप्रदीपाभं द्वितीयं त्वेकपर्ययम् ॥७७॥
અનુવાદ : એકત્વથી, વિતર્કથી અને વિચારથી સંયુક્ત, એક પર્યાયવાળું બીજું (શુકલધ્યાન) વાયુ વિનાના સ્થાનમાં રહેલા પ્રદીપની જ્યોતિ જેવું છે.
વિશેષાર્થ : અહીં શુકલધ્યાનના બીજા પ્રકાર ‘એકત્વ, વિતર્ક, સવિચાર' વિશે કહેવામાં આવ્યું છે.
શુકલધ્યાનના પહેલા પાયામાં ધ્યાન ધરનાર ધ્યાતા કોઈ પણ દ્રવ્યના પર્યોયોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું ધ્યાન ધરે અને એનું ચિત્ત એક પર્યાયમાંથી બીજામાં સંક્રમણ કરી શકે છે.
હવે આગળ વધતાં ધ્યાતા જ્યારે શુકલધ્યાનના આ બીજા પાયા પર આવે છે ત્યારે વિતર્ક પૂર્વવત્ રહે છે, પરંતુ પૃથક્ત્વની જગ્યાએ હવે એકત્વ આવે છે. એનો અર્થ એ થયો કે હવે તે કોઈ પણ એક જ પર્યાયનું ધ્યાન ધરે છે. આમાં ચિત્ત વધુ સ્થિર બને છે. આમાં અર્થ, વ્યંજન અને યોગમાં સંક્રમણ નથી હોતું. એટલે એને ‘સવિચાર’ ધ્યાન કહે છે. આ ધ્યાનમાં એકત્વ આવે છે. એનો એક અર્થ એમ પણ કરવામાં આવે છે કે આ ધ્યાનમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એકરૂપ બની જાય છે. આમાં અભેદતા સધાય છે.
Jain Education International_2010_05
૩૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org