________________
અધ્યાત્મસાર
દુર્બુદ્ધિ અને દુર્વાતિ નામની નૌકાઓમાં મિથ્યાત્વરૂપી મંત્રી, કષાયરૂપી યોદ્ધાઓ, હાસ્યાદિ નોકષાયરૂપી સુભટો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી યોદ્ધાઓ સહિત અશાતારૂપી સેના સાથે ધર્મરાજા ઉપર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું. સમક્તિરૂપી મંત્રી અને શીલ, પ્રશમ, વૈરાગ્ય, શ્રુત-ઉદ્યોગ, ધર્મધ્યાન, શુક્લધ્યાન, ઈન્દ્રિયનિગ્રહ, ક્ષયોપશમ, પુણ્યોદય વગેરરૂપી યોદ્ધાઓ સહિતની સેનાએ પોતાના અપૂર્વ બળ અને પરાક્રમ વડે અંતે મોહરાજાને પરાજિત કર્યો.
આમ, ધર્મધ્યાન ધરવા માટે સરસ, રોચક, પ્રેરક અને પ્રોત્સાહક એવું રૂપક અહીં આપવામાં આવ્યું છે. સંસ્થાન-વિચય ધર્મધ્યાનમાં કોઈ પણ એક પદાર્થ વિશે સતત ધ્યાન ધરવાથી, જેમાં કંઈક ઘટના બનતી હોય એવાં દૃશ્યો માનસચક્ષુ સમક્ષ ખડાં કરવાથી મન વધુ સમય માટે એકાગ્ર રહે છે. એ દષ્ટિએ આરંભકાળમાં આવાં રૂપકો ધ્યાતા માટે બહુ ઉપયોગી નીવડે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એટલે જ અહીં કહ્યું છે કે ધર્મધ્યાનના ધ્યાતાઓ આગમમાં નિરૂપાયેલા આવા બીજા પદાર્થો વિશે પણ ધ્યાન ધરી શકે છે. ધર્મધ્યાન ધરવા માટે સામગ્રીની અલ્પતા નથી. એટલા માટે જેના વડે પોતાનું ચિત્ત ધર્મધ્યાનમાં વધુ સમય સુધી એકાગ્ર ને સ્થિર રહે તેવા વિષયો ધ્યાતાએ પસંદ કરવા જોઈએ. [૬૩] મનક્રિયાનાં ચ નયા નિવારથી ..
धर्मध्यानस्य स ध्याता शान्तो दान्तः प्रकीर्तितः ॥६२॥ અનુવાદ : મન અને ઈન્દ્રિયોના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા જે હોય તે શાન્ત અને દાત્ત(મુનિ)ને ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા છે. વિશેષાર્થ : ધર્મધ્યાન ધરવા માટે યોગ્ય વ્યક્તિ કોણ ? એની યોગ્યતા અથવા લાયકાત શી ?
અહીં કહેવામાં આવ્યું છે કે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર, નિર્વિકાર બુદ્ધિવાળા, શાન્ત અને દાન્ત મુનિ જ ધર્મધ્યાનના સાચા અધિકારી બની શકે.
આટલું તો નિશ્ચિત છે કે જયાં સુધી જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રાચતો હોય ત્યાં સુધી ધર્મધ્યાન પર આવી શકતો નથી. જ્યાં સુધી જીવનમાં વિષય, કષાય અને પ્રમાદનું જોર વધારે છે ત્યાં સુધી જીવ દાન્ત એટલે કે ઇન્દ્રિયોને દમનારો અને શાન્ત થતો નથી. ધર્મધ્યાનની પાત્રતા મેળવવા અને કેળવવા માટે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જરૂરી છે. વિષય, કષાય, નિદ્રા, વિકથા, અજ્ઞાન, ભ્રમ, સંશય, વિસ્મૃતિ ઇત્યાદિથી જે રહિત હોય, શાન્ત અને દાત્ત હોય તેવા મુનિ ધર્મધ્યાનના અધિકારી બની શકે. તેઓ નિર્વિકાર બુદ્ધિવાળા એટલે કે જ્ઞાનરૂપી ધનવાળા હોય છે. [E४०] परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् ।
घटते ह्यत्र तत्सर्वं तथा चेदं व्यवस्थितम् ॥६३॥ અનુવાદ : બીજાઓએ પણ સ્થિતપ્રજ્ઞનું જે લક્ષણ કહ્યું છે તે સર્વ અહીં ઘટી શકે છે. એટલે આ પણ વ્યવસ્થિત જ છે. વિશેષાર્થ : ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોનો તલસ્પર્શી
૩૬૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org