________________
અધ્યાત્મસાર
[૬૨૮] યથા ૨ મોપીશે નવ્યવ્યતિને સતિ ।
संसारनाटकोच्छेदाशंकापंकाविले मुहुः ॥५१॥
અનુવાદ : અને જ્યારે મોહરાજા (પલ્લીપતિ)એ આ વૃત્તાન્ત જાણ્યો ત્યારે સંસારરૂપી નાટકના ઉચ્છેદની શંકારૂપી કાદવથી તે વારંવાર મલિન થયો.
[૬૨૯] સખીવૃતસ્વીયમટે નાવું યુવ્રુદ્ધિનામિામ્ ।
श्रिते दुर्नीतिनौवृन्दारूढशेषभटान्विते ॥५२॥
અનુવાદ : તેણે (મોહરાજાએ) પોતાના સુભટોને સજ્જ કરીને દુર્બુદ્ધિ નામની નૌકામાં બેસાડ્યા અને બાકીનાને દુન્વતિરૂપી નૌકામાં બેસાડ્યા.
[૬૩૦] ઞયજીત્યથ ધર્મેશમટાથે રણમંડપમ્ ।
तत्त्वचिन्तादि-नाराचसज्जीभूते समाश्रिते ॥५३॥
અનુવાદ : ત્યારે તત્ત્વચિંતનાદિરૂપી બાણોથી સજ્જ થયેલા સુભટોના સમૂહ સાથે ધર્મરાજા રણમેદાનમાં આવી પહોંચે છે.
[૬૩૧] મિથો તને રળાવેશે સમ્ય વર્શનમંત્રિના ।
मिथ्यात्वमंत्री विषमां प्राप्यते चरमां दशाम् ॥५४॥
અનુવાદ : પરસ્પર તેમની વચ્ચે રણયુદ્ધ થતાં સમ્યગ્દર્શનરૂપી મંત્રી દ્વારા મિથ્યાત્વરૂપી મંત્રીને છેલ્લી વિષમ દશાને પમાડાય છે. (મૃતપ્રાયઃ કરી દેવાય છે.)
[૬૩૨] તીતથૈવ નિરુચત્તે ષાયપરટા અપિ ।
प्रशमादि महायोधैः शीलेन स्मरतस्करः ॥५५॥
અનુવાદ પ્રશમ વગેરે મોટા યોદ્ધા દ્વારા કષાયરૂપી ચોરોને અને શીલરૂપી સુભટ દ્વારા કામરૂપી ચોરને લીલા માત્રમાં રુંધવામાં આવે છે.
[૬૩૩] હાસ્યાવિષટ્ખુંટાવૃન્દ્ર વૈરાયસેનયા ।
निद्रादयश्च ताड्यन्ते श्रुतोद्योगादिभिर्भटैः ॥५६॥
અનુવાદ હાસ્ય વગેરે છ લૂંટારાના ટોળાંને વૈરાગ્યરૂપી સેના દ્વારા અને નિદ્રા વગેરેને શ્રુત-ઉદ્યોગ વગેરે સુભટો દ્વારા માર મારવામાં આવે છે.
Jain Education International_2010_05
For Private
૩૬૪
Personal Use Only
www.jainelibrary.org